Feeds:
Posts
Comments

ROAD-1( હિન્દી સાહિત્યમાં કમલેશ્વરજીની વાસ્તવવાદી વાર્તાઓ હંમેશા ગમી છે. સમાજની વાસ્તવિકતામાં સર્જનની કડી મળી જાય છે.આ નાની વાર્તા પાછળની ભુમિકા કંઇક આવી છે. કંપની બસ પનવેલથી પુના રોડના હાઇવે પર થઇ અને ફેકટરીએ જાય છે. હાઇવે પર આર્ટીફીસીયલ ફૂલોના ડેકોરેશન વાળા, હેલમેટ વાળા, નેતરની ખુરશી અને મુંઢા વેચવા વાળા, સારા સારા કાચના ઝુંમરો  તેમ જ સારી ક્વોલીટીના સોફા-સેટ અને બેડ વેચવા વાળા રોડના કિનારે ફેમિલી સાથે ઝુંપડું બાંધીને રહેતા હોય છે. સોફા સેટ અને બેડ વેચવા વાળાનું ફેમિલી જોઇને આ નાની વાર્તા અને એક રચનાનું સર્જન થયું. )

 હું ,છુ ત્યાં ઘર તારું નથી,

તારુ ઘર, એ મારું નથી.

તું સજાવી દે મને ઘર,

નસીબ એવું સારું નથી.

આ જ રસ્તો, આ વ્યવસ્થા,

કોઇ ઘરને તાળું નથી.

એક પડછાયો મળે ના,

ક્યાંયથી અજવાળું નથી.

આ નગરનો રાજપથ છે,

રાંકનું સરનામું નથી.       -સ્વરચિત

 દાતણ કરતા કરતા પોપટે બુમ પાડી,

“ એ ..રુપલી,  ટકલીને સોફા પરથી ઉઠાડ, સવાર પડી ગઇ, રોડ પર નીકળતા વાહનો માં તારો બાપ  કોઇક ગરાગ પણ હોય, ગીરાગ સોફા પર આપડૂં છોકરુ સુતેલું જુએ ઇ સારુ નઇ, એનું મન ઉઠી જાય , વસ્તુ લેવાનો વિચાર માંડી વાળે, ખબર પડે છે ? “

રુપલી તેની પત્નીનું નામ હતું અને ટકલી તેની ત્રણ વર્ષની છોકરીનું નામ. માથા પર ભરપૂર અને લાંબા વાળ હોવા છતાં નાનપણમાં વાળ ઉતરાવ્યા ત્યારથી તેનું નામ  ’ટકલી ’ ચાલું રહ્યુ .

“ચૂલા પર ચા મેલી છે, ઉભો રે , રાડું પાડમાં, સવારે સવારે મારો બાપ કોઇ સોફા લેવા ન આવે” રુપલીએ છણકો કરીને જવાબ આપ્યો. રોડ પાસે આવેલા એક ઝાડ નીચે સાંઠીકડા ભેગા કરી સળગાવ્યા હતા ત્રણ પથ્થર ગોઠવેલા ચૂલા ઉપર ચા બનતી હતી. બાજુમાં પાંચ છ તૂટેલા વાંસ ઉપર ફાટેલી તાડ પત્રી નાખી અને છાંયડે સુવા બેસવા પુરતી ખપ લાગે તેવી ઝુંપડી હતી.

“ ચા પીને બીડી પીવા બેસી નો જતો, સામેની કોલોનીમાંથી એક ડોલ પાણી ભરીને લાવી છું. અડધી ડોલમાં ખંખોળિયું ખાઇ લે અને જલદી ગરાગ જોવા લાગ” રુપલી કપડાના ટુકડાથી ચા ગાળતા ગાળતા બોલી. પછી જલદીથી રોડની સાઇડ પર ગોઠવેલા બે ત્રણ સોફાસેટ તરફ ગઇ અને ટકલીને ઝકઝોરી હલાવી નાખી “ ઉઠ, એ ટકલી ઉઠ, હમાણા તારો બાપ કોઇ ગીરાગ આવશે, ઉઠ…”  ટકલી આંખો ચોળતી ચોળતી ઝુંપડીમાં જઇને ગાભા જેવા ગોદડાનો ઢગલો હતો તેના પર ઉંધી પડી ને સુઇ ગઇ.

થોડી જ વારમાં એક  મારુતી ૮૦૦  કાર આવીને ઉભી રહી. આજુ બાજુના ગામડા વાળા અને મિડીયમ ક્લાસના ફ્લેટોમાં રહેતા લોકો માટે સારા અને સસ્તા ફર્નીચર  માટે આ બહું અનુકુળ જગ્યા હતી. પોપટ અડધી ડોલ શરીર પર ઢોળી ઝટ ઝટ લેંઘો અને બનીયન પહેરીને  ગ્રાહક પાસે આવી ગયો.

“ આવો સાહેબ, જુઓ આ સોફા સેટ શો-રુમમાં લેવા જશો તો આઠ હજાર જેવું પડશે, પડેને સાયબ ! તેનુ દુકાનનું ભાડું. માણસોના પગાર, ટેક્ષ બેક્ષ લાગેને સાહેબ ! આમારે આવી કોઇ પંચાત નહીં. જુઓ આ અમારુ ઝુંપડુ, ભાડુ નહી ટેક્ષ નહીં, સરકાર નહીં, કોઇ કોઇ વાર ટ્રાફિક પોલીસ વાળા હેરાન કરીને ચા પાણીના પાંચ દશ રુપિયા લઇ જાય, અમે ત્રણ હજારમાં લાવી, બે ત્રણ સેટ લાવી સો બસો કમાઇ લઇ, વળી પાછા બેત્રણ સેટ લઇ આવી, સાહે બ અસ્સલ ઉદેપુરનો માલ, ઇ પાક્કુ. “

ગ્રાહક બોલ્યો “અમારે બાર બાય બારનો એક ડ્રોઇંગ રુમ છે અને દશ બાય દશનો એક બેડ રુમ છે “

વાંધો નહીં સાયબ “ એય રુપલી આંય આવ, પેલી કુતરા હાંકવાની લાકડી અને દશ ફુટીયા દોરી લાવતો “

રુપલી નાની લાકડી અને દશ ફુટ લાંબી દોરી લઇને આવી, પોપટે દશ ફુટનું માપ લઇને એક સ્પેશિયલ દોરી તૈયાર કરી હતી. કોઇ ગ્રાહક જેવું પોતાના રુમનું કે ફ્લેટનું માપ બોલે કે તરત જ તે ગ્રાહકને પટાવવા માટેનો આ નુશ્ખો અજમાવતો.

દશ ફુટની દોરીનો એક છેડો રુપલીને પકડાવતો અને બીજો છેડો પોતે લઇને દશ ફુટનું માપ લઇ અને કુતરા હાંકવાની લાકડીથી લીટો તાણતો “ શેઠજી આ દશ ફુટ, બરા બર !” બે પગલા પોતે ભરીને બોલતો સાહેબ “ બાર ફુટ, બરાબર ! “  એમ કહેતો કહેતો બાર બાય બારનું જમીન પર ચોકઠું બનાવી નાખતો “ સાહેબ જુઓ આ તમારો ડ્રોંઇગ રુમ બરાબાર ! બારણું કઇ સાઇડમાં છે ? “ એટલે ગ્રાહક ઇશારો કરીને બતાવતો “ પેલી બાજું “ એટલે બે એક ફુટની દોરેલી લાઇન પગ વડે ભુંસી નાખી “ લો સાબ આ બારણું “. પછી રુપલીની મદદથી સોફા-સેટ આખો જાણે ડ્રોઇંગ રુમમાં ગોઠવતો હોય તેમ ગોઠવીને બતાવતો,  “ લો શેઠજી , જોઇલો, હજી પણ તમારા ડ્રોઇંગ રુમમાં  કેટલી બધી જગ્યા બચી છે ? “

 

ગ્રાહક પટી જતા અને સોફા-સેટ લઇ જતા ત્યારે રુપલીની સામું કપાળ પર આંગળી ટેકવીને રુપલી સામે હોંશીયારી બતાવતો “  જોયું ! ભગવાને આપણને રહેવા ફલેટ કે બંગલો નથી આપ્યો પણ તેમને પટાવી શકે તેવું દિમાગ તો આપ્યું છે ને ? “ રુપલી પણ હરખાઇ જતી એક તાલી દઇ દેતી.

રુપલી પણ પોતાના તરફથી કંઇક ઉમેરવું જોઇએ તેમ  “ આપણી ટકલી કેટલી નસીબ વાળી છે સૌ પેલા સોફા પર આપણી ટકલી સુએ છે, આ શેઠીયા લોકોના છોકરાઓને તો પછી નસીબમાં આવે છે.

પોપટનેય હવે હામાં હા પુરાવવા સીવાય છુટકો ન હતો.

ફરી એક કાર ધીરી પડે છે, પોપટ ગ્રાહકને પટાવવા પાછો સજાગ થઇજાય છે.

બ્લોગ- ૬૮

( ઇન્ટરનેટ પ્રોબ્લેમને લીધે દિપાવલીની શુભેચ્છા પાઠવવા માટે ઘણો મોડો છું, દરગુજર કરશો )

જિંદગી

ધૂપની જેમ જિંદગી બળ્યા કરે,
રૂપ જાણે રાખ થઇ, ખર્યા કરે.

સમયનો કાંટો ભલે આગળ ધસે,
ઊંટ જેવો થઇ, અતીત ચર્યા કરે.

રોજ સોનાની ભરી તાસક,રવિ,
એક દિ ઓછો કરી, ધર્યા કરે.

જેટલા પક્ષી ઉડાડું યાદ ના,
સૌ નગર માથે મળી, ફર્યા કરે.

ઉટકો લોટો હવે અભરાઇનો,
તો, દિવાળી હોય એવું થયા કરે.             – સ્વરચિત

TT-6ते हिनो दिवसा गता..વિતી ગયેલા દિવસો કદી પાછા આવતા નથી,આજ દિવાળી કાલ દિવાળી ….આ વાક્ય અમે નાનપણમાં બોલતા પછી આગળ જે બોલતા તે લખાય તેવું નથી. પણ આજે વિચાર કરું છું તો લાગે છે કે ઘણી બધી દિવાળીઓ જતી રહી ! અચાનક મને મારા ગામની દિવાળી યાદ આવી ગઇ. જે યાદ કરતા એમ લાગે છે કે ઘણું બધું જીવાઇ ગયું . ભુતકાળ ગમ્મે તેટલો દુ:ખમાં વિત્યો હોય તોય વાગોળીએ ત્યારે મીઠો લાગે છે.

મારા ગામ લીંબડીના જગદીશ આશ્રમની જાહો જલાલી યાદ આવે, ત્રણ સ્વામીજીઓ, જેમણે ઉંચી આધ્યાત્મિક પ્રવૃતીઓથી આશ્રમને આખા ગામનું શ્રધ્ધા સ્થાન બનાવી દીધો હતો. ભગવાનજી ભાઇની સંગીત સાથેની હરિકથા યાદ આવે .ગૃહસ્થ છતાં ઋષી જેવા લાગતા. સફેદ દાઢી અને સફેદ વાળની જટા જેવી અંબોડી રાખતા ,હાથમાં કરતાલ લઇને હરી-કથા ગાતા,ઘણા સમય પછી ખબર પડેલી કે શ્રી ભગવાનજી ભાઇ લાઠી ગામના હતા. લાઠી એટલે આપણા માનીતા અને જાણીતા કવિ શ્રી કલાપીનું ગામ.શ્રી મોરારી બાપુ પહેલા જો કોઇ કથા સાંભળવામાં રસ પડ્યો હોય તો તે ફક્ત ભગવાનજી ભાઇની હરિકથામાં,

મારા ગામના કર્મકાંડી બ્રાહ્મણો, શુલ્કજીઓ, ગામની ઉભી બજારમાં આવેલી દુકાનો, દયારામ ભાઇ ખત્રી, મોતીભાઇ સોની, અમૂલ ભાઇ દવા વાળા,આ બધાજ પોતાના હોય એમ લાગે. આજે લખીને જેમને યાદ કર્યા છે તેમાંથી કોઇ હૈયાત નથી. ઘણા બધા મિત્રોએ પણ કોઇને કોઇ બહાને અચાનક અધવચ્ચે જ વિદાય લઇલીધી, કારણોના આશ્ચર્યો છોડતા ગયા. ઘણા માનીતા લેખકો અને કવિઓએ પણ એક્ઝીટ લઇ લિધી, ચંદ્રકાન્ત બક્ષી, હરિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, રમેશ પારેખ, આદિલ મન્સુરી, રતીલાલ જોગી અગણીત નામોની યાદી થઇ જાય. વાચકોથી રીસાઇને આખી એક પેઢી જાણે ડેલીના નાના દરવાજેથી એક એક કરીને વિદાય થઇ ગઇ. કાળ ચક્ર રોકાતું નથી એવું ભાન થઇ જાય. વિતેલા દિવસો ફરી ક્યારેય પાછા આવતા નથી.

TT-1

બ્લોગ- ૬૭

નથી આ ઘટના ,નથી સત્ય ઘટના, આ  તો છે પૂર્ણ સત્ય.

bbychએક વર્ષના બાળકને તેના પિતા રમાડતા રમાડતા જ્યારે હવામાં ઉછાળે છે ત્યારે તે બાળક હસતું  રહે છે, તેને ડર નથી હોતો, કારણ કે તેને પુરો વિશ્વાસ હોય છે કે પિતા તેને ઝીલી લેશે , વિશ્વાસનો આ સૌથી ઉત્તમ દાખલો છે.

 

આ કોઇ ઘડી કાઢેલી વાત નથી, કે નથી  કોઇ સત્યઘટના, આતો  જિંદગીનું પૂર્ણ અને કોરે કોરું સત્ય છે.

સો એ સો ટકા વિશ્વાસ જેને કહેવાય તેનો આ ઉત્તમ દાખલો છે. આપણે જો જાત નિરીક્ષણ કરીએ તો ધીરે ધીરે ખ્યાલ આવે કે આપણે જે જે વ્યક્તિઓ સાથે જીવી રહ્યા છીએ અથવા જેની જેની સાથે આપણને રોજ પનારો પડે છે તેવા, ઘરના કે બહારના બધા વ્યક્તિઓ સાથે આવો વિશ્વાસ કેળવવો આપણાથી શક્ય બનતો નથી. એક વર્ષના બાળક અને પિતા વચ્ચે જેવો વિશ્વાસ હોય છે તેવો બધા સાથે નથી રહી શકતો તેનું મુળ કારણ જિંદગીમાં અસલામતી ભાવ પ્રવેશ કરી જાય છે તે છે. દુનિયાદારીના સારા નરસા અનુભવોને લીધે  અસલામતીનો ભાવ મનમાં ઘર કરી જાય છે અને આપણે  દરેક વયક્તિને જુદા જુદા માપદંડથી જોવાનું ચાલું કરીએ છીએ.

 

સલામત જિંદગી માટે કેટલું જોઇએ ? કબીર સાહેબે તેમના એક દોહામાં કહ્યું છે.

 

साइं इतना दीजिये,  जामे कुटुम्ब समाये  ।  मै भी भूखा न रहुं , साधु न भूखा जाय ।

 

 કબીરજીએ જાણ્યે અજાણ્યે  એક સારી અર્થ વ્યવસ્થાનો ધર્મ બતાવી દીધો છે. અંતરમાં ઘર કરી ગયેલ અસલામતિના ભાવને દૂર કરવાની દવા બતાવી દીધી છે. કુટુંબનુ ભરણ પોષણ થાય  અને ઘર આંગણે આવેલ સાધુ કે મહેમાનને જમાડ્યા વગર પાછો ન મોકલીએ, આટલી વ્યવસ્થા થઇ જાય તો બીજું શું જોઇએ ? પછી આખી દુનિયા ઉપર આપણે વિશ્વાસ મુકી શકીએ. ફક્ત આટલાથી સંતોષ હોવો જરુરી છે.

એક જુની રચના મઠારીને મુકું છું.

ભરોસો

હકીકતની હવેલીના બધા આ દ્વાર ખુલ્લા છે,

ભરોસો આપને  જો હોય, નગર બજાર ખુલ્લા છે.

            કહેવી વાત હોય જુઠી, હવેતો કાનમાં કે જો,

            અંહી એકેક દિવાલો તણા સૌ કાન ખુલ્લા છે.

વિસામો બે ઘડી લેવા, ઉઘાડા છે અમારા દિલ,

તમારે કાજ મંદિરીયે બધા આવાસ ખુલ્લા છે.

            ઉતારા અંહિ ન ફાવે તો, પછી લાચાર બીજું શું ?

            જવાનું હોય નક્કી તો, જવાના માર્ગ ખુલ્લા છે.

નકામા ના હવે કરશો, પુરાણું યુધ્ધ શબ્દોથી,

અમારા સૈન્યમાં સૌના, હજુ હથીયાર ખુલ્લા છે.

            પુરાવા જે હતા જાણી, કદિ ફરિયાદ ક્યાં કીધી ?

            સભા થઇ ગઇ હવે પુરી, સભાના ન્યાય ખુલ્લા છે. 

-  સ્વરચિત

બ્લોગ-૬૬

by-umb-1


વરસાદની અછત  અને દુષ્કાળથી  બચવા માટે એક ગામમાં મેઘરાજા અને ઇશ્વરને મનાવવા ગામનાં મેદાનમાં પ્રાથનાનું  આયોજન કરવામાં આવ્યું. આખું ગામ ભેગું થયું હતું. ફક્ત એક નાનકડો છોકરો છત્રી લઇને આવ્યો હતો. આને કહેવાય આસ્થા,આત્મવિશ્વાસ ( Self-Confidence )


જોકે આ વાત એક ઘડી કાઢેલો સુવિચાર છે,  પણ આપણે જેને આસ્થા કહીએ છીએ, તે આસ્થાના લેવલ વિષે, આસ્થાની ગુણવત્તા (Quality ) વિષે  સિધી શંકા વ્યક્ત કરતો પ્રહાર છે. આત્માને ઢંઢોળતો એક ચાબખો છે. જે જે વાતો આપણા વશમાં નથી, જ્યાં જ્યાં આપણે આત્મ સમર્પણ કરીને   ઇશ્વર જેવી સત્તા કે સુપ્રીમ પાવરને હવાલે થઇ જઇ છીએ, તે ક્ષણ પછી, આપણે  તે જ આસ્થાને ઓસરતી નબળી પડતી અને છીછરી થઇ જતી અનુભવીએ છીએ, એટલું જ નહીં ધીરે ધીરે તેને સ્વિકારતા પણ થઇ જઇએ છીએ. અને તે આસ્થા અનાસ્થામાં ક્યારે પરિવર્તીત થઇ જાય છે અને ક્ષુદ્ર રુપ ધારણ કરી લેછે તેની આપણને ખબર પણ પડતી નથી.


કહેવા ખાતર આપણે કહી દઇએ છીએ કે ઉપરવાળાની ઇચ્છા વગર પાંદડુય હલતું નથી. તેમ છતાં આપણે કાળા અને લીલા પીળા ડગલા પહેરેલા જ્યોતિષિઓ પાછળ દોટ મૂકીએ છીએ, વાસ્તુ શાસ્ત્રીઓ અને લાલપીળા ધાગા બાંધી દેનારા તીક્ડમબાજોને ઇશ્વરથીયે આગળ સમજી અને તેમની પાછળ આંટાં-ફેરા કરીએ છીએ. આનાથી વધારે અનાસ્થાના બીજા ક્યા દખલાઓ હોઇ શકે ?


આજ કાલ ટી.વી ચેનલો ઉપર રાત્રે ૧૦ વાગ્યા પછી કમજોર આસ્થા વાળા કમજોર અને નબળા મન વાળા લોકો માટે આવા તીકડમબાજો હાજર થઇ જાય છે. એક સફેદ અને કાળી ટ્રિમ કરેલી દાઢી વાળો અને શેમ્પુ કરેલા રેશમી વાળ વાળો તીકડમબાજ તમારી રાશીઓના નામ લઇને ચાલુ થઇજાય છે. એક લાંબાવાળ વાળો બુરી નજરથી બચવા તાવીજો લઇને હાજર થઇ જાય છે. એક સુંદર મોડેલ ગર્લ જેવી લાગતી માનુની બાર ગર્લ જેવા  કપડામાં પહેરીને ટી.વી. ચેનલ પર આવે છે અને કોડા કોડીના ખેલ ખેલી અને તમારા જિંદગીના સુખ દુ:ખો બતાવવા લાગે છે. આ બધા અનાસ્થાના ભરપૂર દાખલાઓ છે. એક બાજુ ટી.વી. ચેનલ વાળા ઢોગી અને ધુતારાઓ અને તાંત્રીકોને ખુલ્લા પાડવાનો દાવો કરે છે અને બીજી બાજુ તે જ ચેનલ વાળાઓ રાત્રે ૧૦ વાગ્યા પછી તમારી આસ્થા અનાસ્થાનો લાભ લઈ આવા જ ધુતારાઓને લાવી વેપલો કરે છે. કોને આસ્થા કહેશો કોને આનાસ્થા ? શેર બજારની જેમ ભગવાનોની મારકેટ ઉપર નીચે થતી રહે છે. ક્યારેક તીરુપતી તો ક્યારેક સાંઇબાબા ક્યારેક લાલબાગના રાજા..


વરસાદની અછત માટે જો ઇશ્વરને પ્રાર્થના કરવાનું આયોજન હોય તો શહેરનો એક એક વ્યક્તિ પેલા બાળકની જેમ આસ્થા સાથે  જો છત્રી લઇને આવે તો મને લાગે છે કે વરસાદ અચૂક આવે જ. કદાચ ઇશ્વર આપણી અનાસ્થાને પારખી ગયો છે. આપણું જુઠાપણું જાણી ગયો છે. એકાદ લાખ રુપિયાની તાતી જરુરત ઉભી થઇ હોય ત્યારે મંદિરમાં ઇશ્વરને અરજ કરવા જતો માણસ થેલો લઇ ને જતાં જોયો છે ? કારણ કે આસ્થા ઘણી છીછરા સ્તરે હોય છે. માનો કે ન માનો હું તો આને અનાસ્થા જ કહું છું. નરસિંહ મહેતાએ પુરી આસ્થા સાથે અરજ કરીને ગાયું હશે “ મારી હુંડી સ્વિકારો મહારાજ રે, શામળા ગીરધારી “  અને શામળો, શામળશા શેઠ બનીને હાજર થયો હશે, આ દાખલો કદાચ બન્યો હશે તો તે સાચી આસ્થાનો હશે.


 


એક જુની રચના મઠારવાની કોશીષ કરી છે.


 


ન માંગુ હવે કૈં હું તારા કને,


અમારો ભરોસો તને ક્યાં હવે !


 પંગુને દઇ દે તું ચરણો ભલે,


ઢગો રેતના હું ચડું નૈ હવે.


 હતો બોલકો હું તુજથી ઘણો,


કદી મૌન હોઠો ખુલે નૈ હવે.


 અગર વાત છે કોઇ આસ્થા તણી,


ફરી એક ફેરો કરી જા હવે.


 અમારી જ વાતો કરી છે તને


મને વાત તારી કરી જા હવે        (સ્વરચિત)


 


 બ્લોગ- ૬૫ 


 

footprint-2ઉમરનો તકાજો દરેકના જીવનમાં ભાગ ભજવે છે , એક કાવ્ય સંગ્રહ પર નજર નાખી, શૂન્ય પાલનપુરી, બરકત વીરાણી, અમૃત ઘાયલ અને બીજા આપણા ઘણા બધા પ્યારા કવિઓની રચનાઓમાં આવેગો,સંવેદનાઓ અને લાગણીઓની ઝલક મળે છે. આમ જુઓતો લાગણી સાથે  સચ્ચાઇ સોએ સો ટકા જોડાયેલી હોય છે એટલે તેનો આદર કરવો એવું મને લાગે છે. અત્યારની ઉંમરને હિસાબે કદાચ આ લાગણીઓ વાહીયાત અને હસવા જેવી લાગે પણ આ સંવેદનાઓની સાથે એક વાર જીવ્યા છીએ  તે કેમ ભૂલાય !  આ રચના  તા- ૫-૮-૧૯૭૭ માં રચી હતી, છંદનું કોઇ ભાન હતું નહીં. હવે તેને છંદમાં મઠારી અને જ્યાં થોડુંક ખુટતુ હતું તેવું લાગ્યુ ત્યાં ઉમેરો કર્યો છે.Seashore-1

 

અમારી જાત પર અમને ભરોસો કોઇ દિ નોતો,

અને ક્યાંથી કરી બેઠા, નકામો વ્હેમ આ ખોટો.

શમાને રોજનું બળવું,ને બળતા રોજ પરવાના,

તમારે રોજનું હસવું, પછી થાવું  ઝટ રવાના.

તમેતો નેણની ધારે અમારા પર જુલમ કરતા,

Line-art-3તમારી ટેવ હસવાની, અમે મજનું બની ફરતા.

ચડી યૌવન અટારીએ, કરો છો ડોળ  પણ શાણો,

તમારુ દિલ કટારી છે, તમે શું પ્રેમને જાણો.

 

બ્લોગ-૬૪

કમલેશ નાણાવટી ને હું છેલ્લે મળ્યો ત્યારે ફરી જિંદગીમાં મળાશે કે કેમ તે ભરોશો નહતો. કમલેશ અને હું અમદાવાદ ખાતે રિલાયન્સના નરોડા પ્લાન્ટમાં સાથે કામ કરતા. નાઇટ શિફ્ટમાં સાહિત્યની ઘણી વાતો નીકળતી, રાત ક્યાં વિતી જતી ખબર નહોતી પડતી. મારા મિત્ર થાનકીને અમે સાથે ક્યારે મળેલા એતો સાવ જ ભૂલાઇ ગયું હતું.

હું ૧૯૮૨ ઓગસ્ટમાં અમાદાવાદ છોડી ને મુંબઇ -રિલાયન્સ કંપનીના પાતાળગંગા પ્લાન્ટમાં આવી ગયો અને કમલેશ નાણાવટીએ  તેજ અરસામાં  અમેરીકા ભણી પ્રસ્થાન કર્યું હશે.

ઘણાયે સમયથી બીજે દેશ વસતાં,

સ્મરણ નોતર્યા ને તમે યાદ આવ્યાં.

પુરાણા સંબંધો જે અકબંધ હતાં તે,

જરા ખોતર્યા ને તમે યાદ આવ્યા.

પૂરપાટ રસ્તો તમારા નગરનો,

જરા ચાતર્યો ને તમે યાદ આવ્યા.

-ભગવતીકુમાર પાઠક

Pankhidaપંખીના મેળા જેવો ઘાટ હોય છે. હું મારે ગામ લીંબડીથી ઉડીને અમદાવાદ આવ્યો હતો. કમલેશ નાણાવટી પણ ક્યાંકથી ઉડીને અમદાવાદ આવ્યા હશે. અને અમ બન્ને પાછા ઉડી ગયા, એક એમેરીકા ભણી અને એક મુંબઇ ભણી, જિંદગીના આકાશમાં ક્યાં ખોવાઇ ગયા ખબર ન પડી. પણ આ બ્લોગે કમાલ કરી, કવિ કાલિદાસના મેઘદૂત નાટકમાં જેમ મેઘના વાદળો દ્વારા સંદેશાઓ મોકલવાની જે કલ્પના હતી તે બ્લોગે સિધ્ધ કરી.

મારા જીવનની આ એક એદ્ભૂત ઘટના છે કે મારો એક મિત્ર અમેરિકામાં મને લગભગ ૨૭ કે  ૨૮ વર્ષ પછી બ્લોગ સર્ફીગ કરતા કરતા શોધી કાઢે અને પ્રતિભાવ લખીને મારા સુધી પહોંચે. છે ને Science ની કમાલ !!!!

BIrdsકમલેશ નાણાટીએ લખેલ પ્રતિભાવ  !!

Dinkarbhai..

Waaaaaaaaaaaaaaaaaaaaah!..

Yaad aave che.. Reliance.. SDS3 and night shifts? Gujarati Sahitya ni vato ane charchao?

My cousin sent me a website, mavjibhai.com.. and I was going through it. When I searched for that site again.. accidentally I found Harsukh Thanki Blog page.. I posted on his page.. about Reliance, you, me and him, Jansatta press, met Adil Mansuri behind Rupali Cinema.. etc. I forgot the name Chandni.. but I still remembered your Short story Extension.. So.. you never wrote again after you went to Patalganga ? Wow.. almost 27-29 years gone by..

I am here in USA..Atlanta GA for last 20 years. Did my computers here..( I was oldest person in the class.. but I beat all them.) Now… working as Network Engineer in AT&T..I still miss reliance.. ( reliance bahu yaad aaave che.)

I asked Harsukhbhai.. that how to contact you.. and I was going through his blogs and comments and I found your name.. Dinkar.. and you said you have your own Blog and name is bhattji.. then I was sure it must be you..

glad to find you finally…

Pachi vato kari shun Shanti thee..I hope you read this today… asap..and reply me at the earliest..

Regards..

કમલેશ….!

અદ્ભૂત …અદ્ભૂત….

( બ્લોગ-૬૩ )

murgiશ્રાવણ મહિનો પુરો થવા આવ્યો. પુણ્યના પોટલા જે જે રીતો વડે બંધાય તે બાંધી લીધા., હવે પાછા લીલા લહેર.હવે આખૂંય વરસ બધુ મરજી મુજબ. આવતે શ્રાવણે  જોયું જશે. અમારે અહીયા શ્રાવણ મહિનો શરુ થવા ના આગલા દિવસે એટલે કે અષાઢ મહિનાની અમાસે “ ગટારી “ મનાવે એટલે કે નોન-વેજ, દારુની રેલમ છેલ બોલો ! સમાચાર પત્રોમાં હેડ લાઇન આવે, આ વખતે “ગટારી”માં  દારુની સાથે એક જ દિવસમાં ૫,૦૦,૦૦૦ મુર્ગીઓ અને ૨,૦૦,૦૦૦ બકરાઓ હલાલ થયા !   “ જય જય શિવ શંકર, જય ભોલે નાથ “  છે ને આશ્ચર્ય ? “ગટારી” શબ્દ માટે ઇન્ટરનેટ પર ઘણી માથાકુટ કરી , દારુની બોટલો અને ચિકન ડિશો સિવાય કંઇ નજરે ન ચડ્યુ.

 

 મારાથી એક રચના બની ગઇ

મુર્ગીઓને માછલીના ઇશ્વરો હોતા નથી,

બકરીઓ સામે કદી કોઇ ખુદા જોતા નથી.

                    માણસોનો જીભ ચટકો જાનવર જેવો થયો,

                    ધાન કે પરમાટી છે તે ભેદ ને જોતાં નથી.

આંકડાને ઉંટ મૂકે, કાંકરો બકરી મૂકે,

માણસોની જાત મોકો એક પણ ખોતાં નથી.

વ્હાલથી ઝાલે જનાવર જીવતા મારે પછી,

ભોળપણ તોયે જનાવર એક દિ ખોતા નથી.

 હિન્દુ ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયઅને થોડાક બિજા સંપ્રદાયોને બાદ કરતા (જૈનોને હુંતો હિન્દુ જ સમજુ છું, કારણકે મારા કોઇ પણ જૈન મિત્ર વિષે મને એવું ક્યારેય નથી થયું કે આ હિન્દુ નથી પણ જૈન છે) ક્યાંય ગઇ વગાડીને કહેવામાં આવ્યું નથી કે હિન્દુ લોકોએ પરમાટી ખવાય નહિં આ પરમાટી શબ્દ તળપદી છે પણ ઘણો અર્થસભર છે. આપણો દેહ આપણું શરીર માટીનું છે (લોક ભાષામાંનો શબ્દ) આપણે પર માટી ખવાય નહીં એટલે કે હિંસા કરી કોઇ પ્રાણીનું માંસ ખવાય નહીં. જીવનના પોષણ માટે બીજા ઘણા વિકલ્પો છે. જોકે ગીતામાં શ્રી કૃષ્ણે સ્પષ્ટતા કરી છે.

 

અધ્યાય ૧૭, શ્લોક-१०

 

यात यामं गतरसं पूति पर्युषितं च यत्

 

उचिछष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम

 

એટલે કે જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું, સુકાઇ ગયેલા રસનું, સ્વભાવે જ દુર્ગંધી, વાસી અને એઠું છે તથા જે અપવિત્ર છે, એ ભોજન તામસી માણસોને જ ગમતું હોય છે.

 

પણ આપણે અને ગીતાને શું લાગે વળગે ? કોઇ ગુજરી જાય એટલે તેના મૃત શરીર પાસે ગીતાના અઢારમાં અધ્યાયનું પઠન કરવું, આ સિવાય આપણને ગીતાનું  મહત્વ કેટલું ?

 

ખરું કહું તો આ માંસાહારી લોકોને લીધે  ઇશ્વર વિષે શ્રધ્ધા ઉઠી જાય છે. કુદરતના નિયમોમાં માણસ નામનું પ્રાણી ક્યાંય માંસાહારી જીવ હોય તેવું બંધ બેસતું નથી, શાકાહારી જાતમાં જ બંધ બેસે છે. આ પહેલા પણ મેં એક બ્લોગમાં ઘણા તર્કો આપેલા. એક મિત્રને જે માંસાહારી છે ( તેનો વાંક નથી કુટુંબના સંસ્કાર છે ) મે કહ્યું “ દોડીને મુર્ગી પક્ડી શકે ખરો ? અને કદાચ પકડાઇ જાય તો  તેને ત્યાં ઉભો ઉભો કાચી ને કાચી ચાવી શકે ખરો ?”  તે એક દમ જ બોલ્યો “ કેવી વાત કરો છો ? આ બધું તો કસાઇને કરવાનું હોય, આ પાપ તેને માથે, કસાઇને પુછો તો કહેશે “ હું તો ખાવાવાળા માટે આ કરું છું, આ પાપ તેમને માથે “…..હવે આ વાતને વધારે લંબાવતો નથી. એક બ્લોગ  ઓલ્મ્પીક વિષે લખ્યો હતો તેમાં ઘણા બધા તર્કો આપવાનો પ્રયાસ કરેલો. બાકી તો સૌ સૌની ઇચ્છા.

 

મને તો હવે ચિંતા થાય છે કે શ્રાવાણ મહિનો પુરો થવા આવ્યો છે અને આ મુર્ગીઓ …આ  બકરાની જાતનું શું થશે ?…જય જય શિવ શંકર .

 

 

 

બ્લોગ-૬૨

જન્માષ્ટમિના શુભ અવસરે થોડીક શંકાઓ કરી લઇએ, કારણકે આ જ કૃષ્ણે આપણને કહ્યું છે કે શંકા વાળો માણસ મને પ્રિય નથી. માટે હે અર્જુન શંકા રહીત થા. અને અર્જુન જે પ્રશ્નોની ઝડી વર્ષાવે છે ! કૃષ્ણને એક બે નહીં અઢાર અધ્યાયનું પ્રવચન આપવું  પડે છે, છેલ્લે ગઇ વગાડીને કૃષણને કહેવું પડે છે ભાઇ અર્જુન, હે મારા સખા અર્જુન..

Arj-Kriअ-१८, श्लोक-६६

सर्व धर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।

अहं त्वाम् सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच : ॥

બધા ધર્મોને તજી મારા શરણે આવ, હું તને બધા જ પાપોથી મુક્ત કરીશ.

अ-१८, श्लोक-७३

नष्टो मोह: स्मृतिर्लब्धा त्वतप्रसादानमयाच्युत ।

स्थितोस्मि गतसन्देह  करिष्ये  वचनं तव       ॥

અંતે અર્જુન કૃષ્ણને પોતાની જાત સમર્પિત કરીને કહે છે “ હવે મારો મોહ દૂર થઇ ગયો છે, શંકાઓ દૂર થઇ છે, હવે હું તમારા બધા વચનનું પાલન કરીશ, હે કૃષ્ણ તમે જે કહેશો તેમ કરીશ “

આ વાત હજી આપણા ગળે ઉતરી હોય તેવું લાગતું નથી, આપણે આપણી જાતને કૃષ્ણથી પણ વધારે દોઢ ડાહ્યા સમજીએ  છીએ અથવાતો કૃષ્ણમાં શ્રધ્ધા નથી, નહીતો જ્યાં ત્યાં નવા નવા ભગવાનો અને ગુરુઓ પાછળ દોડતા ન હોત. જ્યાં લોકોની વધારે ભીડ, તે ભગવાન વધારે લાભદાયક એવું સમજી અને આપણે પણ લાઇન લગાવી ઉભા રહીએ છીએ.

કૃષ્ણે જે વાત કરી છે “ સંભવામિ યુગે યુગે “ બીટવીન ધ લાઇન…… જાણે અજાણ્યે તેને માણસ જાત ઉપરથી ભરોસો ઉઠી ગયો હશે તેમ  લાગે છે, તેને ખબર હતી આ માણસ જાત લુચ્ચી છે. આ દુનિયામાં અધર્મ ફેલાવવા સિવાય કોઇ કામ નથી કરવાની, અને મારે યુગે યુગે તેને સિધો કરવા જન્મ લેવો પડશે.

ni-1अ-४, श्लोक-७

यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥

अ-४, श्लोक-८

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।

धर्मसंस्थापनार्थाय  संभवामि युगे युगे        ॥

હવે આમ જોઇએ તો આસુરી વૃત્તિ વાળા માણસો કેવા હોય તે કૃષ્ણે જ આપણને ગીતામાં કહ્યું છે

अ-१६, श्लोक-४  : दम्भो दर्पोभिमानश्च क्रोध: पारुष्यमेव च ।  “હે પાર્થ  દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન  આ સઘળાં આસુરી સંપદા લઇને જન્મેલા માણસોનાં લક્ષણો છે.

अ-१६, श्लोक-१३ : इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् ।  “ તેઓ વિચારે છે કે મે આજે મેળવી લીધું છે હવે બીજો મનોરથ કાલે પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે હજી બીજું પણ કાલે મેળવીશ , આ લાલસા આસુરી સંપદાના લક્ષણો છે “

“આજે એક શત્રુ માર્યો છે કાલે બીજાને પણ હણીશ  હું જ ઇશ્વર છું અને બધા જ પ્રકારના સુખો ફક્ત મારે માટે જ છે. હું જ બળવાન છું અને ઐશ્વર્યને ભોગવનારો છું “ આવી વૃત્તિ આસુરી સંપદાના લક્ષણો છે અને આવાજ લોકો અધર્મી છે.

હવે આવા બધા લક્ષણો વાળા માણસો આજે દુનિયામાં વધતા જ જાય છે. રાજકારણીઓ, નેતાઓ, ઠગ જેવા બની બેઠેલા ગુરુઓ, નફ્ફટ રીતે બીઝનેસ કરતા અને કરોડોની આવક ધરાવતા ઉદ્યોગપતિઓ, ગુંડાઓ,  ભાઇ લોકો અને આવા અગણીત લોકો આપણી આજુ બાજુ જોવા મળે જ છે.

હવે કૃષ્ણ ભગવાન યુગની ગણત્રી કયા પ્રકારની કરે છે તે શંસોધનનો વિષય થઇ ગયો. મારો એક મિત્ર મનોહર ચૌધરી,  મરાઠી માણુસ છે અને દાસબોધ ( સમર્થ સ્વામિ  ના અનુયાયી છે ) આ વાતની ચર્ચા નીકળી એટલે મને કહ્યું “ અમારા દાસબોધ ગ્રંથમાં યુગવિષે એક કલ્પના વર્ણવવામાં આવી છે.  સત્યુગનો કાળ ૧૭,૨૮૦૦૦, ત્રેતાયુગનો કાળ ૧૨,૯૬૦૦૦, દ્વાપરયુગ ૮,૬૪૦૦૦  અને હવે કળીયુગ ૪,૩૨૦૦૦ ચારે યુગનો કુલ સમય  ૪૩,૨૦૦૦૦

અલગ અલગ કલ્પનાઓ યુગની ગણત્રી માટે છે. કઇ પ્રમાણભૂત છે તે ચર્ચાનો વિષય થઇ પડે. એક લેખમાંથી માહિતી મળી છે કે એક વિદ્વાન જ્યોતિષિએ કોમ્પ્યુટરને કામે લગાડીને પુરાણ કથાઓ માંથી મળતા સંદર્ભો અને કુંડળી કાઢી ખગોળ શાસ્ત્રની પધ્ધતીથી આ જાતની ગ્રહોની સ્થિતી ભૂતકાળંમાં કયારે બની હશે  તેની બેકવર્ડ કેલ્ક્યુલેશન  કરી  શ્રી કૃષ્ણનો જન્મ  ૨૧ જુલાઇ- ૩૨૨૮ બી.સી. ( બિફોર ક્રાઇસ્ટ )  એટલે કે  ૩૨૨૮+૨૦૦૯=૫૨૩૭ વર્ષ પહેલા થયો હોવો જોઇએ તેવું તારણ કાઢ્યું.  બેકવર્ડ કેલ્ક્યુલેશન વિષે મારા પિતાજીએ જ્યોતિષના જ્ઞાનના આધારે  એક વાર મને સમજાવેલું કે દરેક ગ્રહોની નક્ષત્રો બદલવાની ગતિ અલગ અલગ હોય છે. ચંદ્ર સવા બે દિવસમાં લગભગ એક રાશી  ચાલે છે. જેમ જેમ ગ્રહોનું અંતર પૃથ્વીથી દૂર તેમ તેની નક્ષત્રો બદલવાની ગતિ ધીમી, આ હિસાબે શનિ ઘણો દૂર છે તેથી સૌથી ધીમી ગતી શનિની છે. ધ્રુવનો તારો ગ્રહ નથી પણ તે ૧૦૦ વર્ષે એક નક્ષત્ર બદલે છે. અને કૃષ્ણ કે રામજીના જન્મ સમયે ધ્રુવ તારો ક્યા નક્ષત્રમાં હતો ?અને બીજા ગ્રહોની સ્થિતી જ્યારે બેકવર્ડ કેલક્યુલેશન કરી ત્યારે અને આ બધુ જ બરાબર મેચ થાય તો ચોક્ક્સ દિવસ જરુર ગોતી શકાય.

ખેર, આપણે કૃષ્ણના આ કોલની રાહ જોવી રહી, તેના યુગની ગણત્રી ક્યારે પુરી થાય ! અને ક્યારે ફરી પાછો આપણી વચ્ચે આવે અને ક્યારે ધર્મની સ્થાપના કરે !

ઘણા સમય પછી છંદમાં લખવાની હિંમત કરી રહ્યો છું ( બહુ જુની રચનાને છંદમાં મઠારી છે ) બે જાતના અનુભવ થયા, એક તો કિશોરાવસ્થા યાદ આવી ગઇ, મારા પિતાજી મને અમારા ગામના કુવામાં તરતા શીખડાવતા હતા ત્યારે  કુવામાં ધક્કો મારતા, પછી પાછળ પોતે પણ આવતા, પણ તે વખતે દિલમાં જે ધક્ક ધક્ક થતું, એવો અનુભવ થાયો ( પંચમજી સંભાળી લેશે ). બીજો અનુભવ એવો થયો જાણે ઘરમાં થોડુંક રિનોવેશન કરીએ પછી નવો રુમ કેવો મજાનો લાગે તેવું- આભાર   ( જો સફળ રહીશ તો જુની ઘણી રચનાઓ છે, તેને અજમાવીશ )

 

તા. ૪-૧-૧૯૭૭

 

દર્પણ

 Mirror

છે ધરા પર તોય ઉંચે આંબતુ  એ આભ દર્પણ ,

આ ધરાનું રુપ ચાંદી, ચાંદનો ચળકાટ દર્પણ.

વ્હેંત સરખું છે છતાં, આખા જગતનું ઘાટ દર્પણ.

રુપ છલકે જ્યોત સરખું, જ્યોતની છે વાટ દર્પણ.

છે અધુરૂ રુપ તોયે રુપનું આવાસ દર્પણ.

મેઘ વરસે  રુપ તરસે, આજ તિરથધામ દર્પણ.

એકલા એકાંતમાં કહી દે અદાની વાત દર્પણ.

દે જવાની હાથતાળી, છે નર્યું આભાસ દર્પણ.

માનવીના મન સરીખું, વાત સૌ કહી જાય દર્પણ.

 Mirror-1

છંદ વિધાન : ગાલગાગા  ગાલગાગા  ગાલગાગા ગાલગાગા

 

 

બ્લોગ-૬૦

Jora-1( ઘણા સમય પહેલા એક સત્ય ઘટના વાંચેલી, થોડીક મહેનત લઇને ફરી માહિતી મેળવી અને એક ટૂંકી વાર્તાનું રુપ આપવાનું મન થયું, મારા એક મિત્ર નારાયણ પટેલને આ વિષે વાત કરી , તેને મને કહ્યું આ લેખ ફરી વાર બે ત્રણ દિવસ પહેલા જ એક દૈનીકમાં વાંચેલો, મેં નક્કી કર્યું વાર્તા રુપે જે વિચાર મનમાં સ્ફૂર્યો છે, તો વાર્તા લખવી જ )

“ રોજા, તારી દિકરીનો ફોન હતો “
ઓફિસમાં સાથે કામ કરતી એક સેક્રેટરીએ રોજાને કહ્યું. રોજાને થયું તેની સાંભળવામાં કંઇક ભૂલ થાય છે. “ શું કહ્યું, મારી દિકરીનો ફોન ? , ખરેખર ? તે એમ બોલી, કે હું રોજાની દિકરી બોલું છું ? “ “ હા.. હા.. તને ફોન કરવાનું કહ્યું છે.“ રોજા ત્યારે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, બેસી ગઇ. સેક્રેટરીએ કહ્યું “ રોજા, વોટ ઇઝ રોંગ ? કેમ શું થયું ? “ “ યુ , નો ! હું આ દિવસની છેલ્લા એક વર્ષથી રાહ જોતી હતી, કે ક્યારે મારી દિકરી મને મા કહે !” સેક્રેટરીએ જરા આશ્ચર્ય વ્યક્ત કર્યું “ મને પણ એવું લાગ્યું ખરુ ! કારણ કે તારી ઉંમર ત્રેવીસ કે ચોવીસ વર્ષની છે અને તારી દિકરીનો અવાજ જાણે બાર તેર વર્ષની હોય તેવો લાગતો હતો. હાઉ ઇટ પોસીબલ ! મને આશ્ચર્યતો થયું જ હતું ! “

“ મારી જિંદગીનો આ ચોથો યાદગાર દિવસ છે , માતૃત્વ માટે હું છેલ્લા તેર વર્ષથી સંઘર્ષ કરી રહી છું, લડી રહી છું. “ “ તેર વર્ષનો સંઘર્ષ ? કંઇ સમજાયુ નહી ! “

“ જલદી સમજાય તેવું નથી, મને પણ કંઇ સમજાયુ ન હતું, જ્યારે હું અગીયાર વર્ષની હતી ત્યારે અમે વિયેતનામમાં હતા, મારા પિતા સૈનિક હતા યુધ્ધ ચાલુ હતું . એક દિવસ એક અજાણ્યા માણસે સ્કુલના ટોઇલેટમાં મારી સાથે અજુક્તો વ્યવહાર કર્યો, મને કંઇ સમજણ પડતી નહતી કે તે મારી સાથે શું કરી રહ્યો છે, હું આંખ બંધ કરીને કલાકો સુધી પડી રહી, મને એવું લાગતુ હતું કે હું ગંદી થઇ ગઇ છું. હું બધું ભૂલીજવા માગતી હતી, જે કંઇ થયું તે સમજણની બહાર હતું એટલે મેં ઘરમાં પણ કોઇને કશું કહ્યું નહીં, આ દિવસ મારા માટે જિંદગીનો ખરાબ પણ યાદ રહી જાય તેવો પહેલો દિવસ હતો, કારણ કે આ દિવસથી મારી જિંદગીમાં એક એવો સંઘર્ષ ઉમેરાયો જે આજે તેર વર્ષે પુરો થયો.

દિવસો વિતવા લાગ્યા, હું બધું ભૂલી ચુકી હતી. પણ મારા શરીરમાં ધીરે ધીરે ફેરફાર થતા હોય એવું લાગ્યું, મને લાગ્યું મારી ઘણી સહેલીઓના શરીર જાડા છે, કદાચ હું પણ જાડી થઇ રહી છું, એક વાર પેટમાં કંઇક ફરતું હોય તેવું લાગ્યું અને મેં મારી માંને વાત કરી. વિચીત્ર લાગે તેવા ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા, મને કંઇ સમજણ પડતી ન હતી . અંતે ડોક્ટર પાસે મને લઇ ગયા. ઘણું મોડું થઇ ગયું હશે તેવું આજે સમજાય છે.

ઘરનાએ નક્કી કર્યું કે મારી સ્કુલ છોડાવી મને ઘરમાં સંતાડી રાખવી અને લોકલાજ રાખવા જાહેર કરવું કે અમે એક બાળક દત્તક લેવા માગીએ છીએ. ઘરમાં મારો એક નાનો ભાઇ અને એક નાની બહેન પણ હતી, તેઓ આ વાત સમજવા માટે ઘણા નાના હતાં. અને અંતે એ દિવસ પણ આવી ગયો જ્યારે મેગીને મે જન્મ આપ્યો. મારા ઘરના સૌ આવી પડેલી જવાબદારી નીભાવતા હતાં, તેમના ચહેરાઓ ઉતરેલા હતા. મારો જિંદગીનો આ બીજો યાદગાર દિવસ હતો. ઘરનાએ તેનું નામ મેગી રાખ્યું અને મને કહેવામાં આવ્યું, દુનિયા માટે આ તારી બહેન ગણાશે. તું વિતેલી વાતો ભૂલી જઇ તારી સામાન્ય જિંદગી શરુ કરજે. મે મેગીને બાર વર્ષની ઉમરે જન્મ આપ્યો હતો. કોઇ છોકરી આ ઉમરે માતા બનવાને લાયક નથી હોતી પણ મેગીને નીહાળી ત્યારે માતૃત્વનો આનંદ શું હોય છે તેનો મને અનુભવ થયો. મે તેની નાની આંગળીઓ પર હાથ ફેરવીને તેને ગણી.

પછી તો હું અને મેગી બન્ને બહેનો હતાં, અમે બધા ભાઇ બહેનો રમતા, ખેલતા, થાકી જતા ત્યારે બેસી પડતા, દુનિયા માટે તે મારી બહેન હતી પણ મારી આંખો તેને હંમેશા માતાની દ્રૂષ્ટીએ જ જોતી, મારી અંદર એક માતા હંમેશા જાગૃત રહી.

અમે વિયેતનામ છોડી અમેરિકા આવી ગયા,વિયેતનામના યુધ્ધમાં હતાશ થયેલા પિતા અમેરિકા આવ્યા પછી એકા એક પાગલ થઇ ગયા, ઘરમાં મને મેગીની સલામતી ભયમાં લાગી, ફરી મારા અંદર રહેલી માંએ મને એક નિર્ણય લેવા મજબુર કરી. હું સત્તર અઢાર વર્ષની હતી, મારી પાસે ડ્રાઇવીંગ લાયસન્સ હતું, ઘરની કાર અને એક હજાર ડોલર ચોરીને હું સિધી મેગીની સ્કુલે ગઇ અને તેની ટીચરને મેં વાત કરી “ હું મેગીને લેવા આવી છું, મને મેગીનું સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ આપો, હું આ શહેર છોડીને કેલીફોર્નિયા જવા માગું છું “ મને તેની શિક્ષિકાએ મેગીને સોંપવાની ના પાડી અને કહ્યું કે તેના પ્રવેશ પત્રમાં ક્યાંય તારુ નામ નથી. તે દિવસે મેં પહેલી વાર જોરથી બુમ પાડીને શિક્ષિકાને કહ્યું હતું “ હું મેગીની માતા છું , હા હું તેની માતા છું“ આ મારી જિંદગીનો ત્રીજો યાદગાર દિવસ હતો.આ વાત ઓફિસમાં અમારા બન્ને વચ્ચે જ થઇ હતી. પછી તેને મારી આપવિતી સાંભળી અને સંપૂર્ણ સહકાર આપ્યો. હું મેગીને લઇ અને કેલીફોર્નિયામાં સાન ડીઅગોમાં રહેવા લાગી. મેગી ખાતર હું હજી પણ તેની બહેન બનીને જ રહી. પાર્ટ ટાઇમ જોબ કરી લેતી અને કોલેજ પણ , ક્યારેક પૈસાની ખેંચ પડતી ત્યારે સાંજના ખાવાના પણ વાંધા પડતા. આવા સમયે ક્યારેક કાફેટેરીયામાંથી બ્રેડ પણ ચોરી છે.

મને થયું મેગી હવે બાર વર્ષની થઇ છે. હું ત્રેવીસ વર્ષની છું, આ ખરો સમય છે, મારે હવે તેને સત્ય હકીકત જણાવવી જોઇએ, હવે હું જે કંઇ કહીશ તે સમજી શકશે. અને એક શનિવારે મેં મેગીને કહ્યું “ મેગી તને એક વાત કહેવી છે. “ મારા હાથ ધ્રુજતા હતા, ક્યાંથી શરુઆત કરવી તેની સમજ પડતી ન હતી. “ મેગી હું તારી બહેન નહીં તારી માં છું “ મેગી પહેલા તો મજાક સમજીને હસતી રહી , મેં પછી બધી વિગતવાર વાત કહી ત્યારે તે સ્ત્બ્ધ થઇ ને મને જોઇ રહી. તેના મનના ભાવો સમજવા મુશ્કેલ થઇ ગયા. અચાનક થોડીક નફરત સાથે ઘુરીને બોલી “ તું ફક્ત મારી બહેન છે. આટલા વર્ષોથી આ વાત તે કેમ છુપાવી ? બીજું શું શું તે મારાથી છુપાવ્યું છે ? તને ખબર છે આ વાતથી એકા એક આજથી મારો ભાઇ મારો મામો બની ગયો અને મારી એક બહેન છે તે માસી બની ગઇ, હું જેને મા સમજતી હતી તે નાની બની ગઇ.” તે રડતી રહી અને બોલતી રહી. વાત થોડી બગડી ગઇ હોય તેવું લાગ્યું. મેગી એક વર્ષથી મારી સાથે બોલતી ન હતી. અને આજે તેનો ફોન ! મેડમ આ દિવસ મારા માટે જિંદગીનો સોનેરી દિવસ છે !”

સેક્રેટરીએ કહ્યું “ રોજા તારે મેગીને ફોન કરવાનો છે “ “ હં “ રોજાએ આંખો લૂછી અને ફોન તરફ આગળ વધી, ફોન ડાયલ કર્યો

“ હેલ્લો બેટા….બેટા.. મેગી, હું રોજા બોલુ છું, “

 “ બોલ મમ્મી,  મમ્મી..જલદી ઘરે આવીજા, મને હવે વધુ રાહ ન જોવડાવ.”

રોજા વકીલાતનું ભણી થોડા વર્ષો સાનફ્રાન્સિસ્કોમાં નાગરીકોના હક્ક માટે લડતી રહી. આજે ઓક-લેન્ડમાં તેની ઓફિસ છે અને Counsel & Child welfare, Civil rights. જેવી સામાજિક પ્રવૃત્તીઓ ચલાવે છે.

JoraJORA TRANG
Of Councel
Child Welfare
Office- Oakland CA
E-mailjtrang@youthlow.org
Phone : (50) 835-8098

 

બ્લોગ-૫૯

Older Posts »