Feeds:
Posts
Comments

Archive for December, 2008

ઘડપણ આમતો બહું અણગમતુ  લાગતું હોય છે. કોને ગમે ? યુવાનીમાં ખુબ સિધ્ધીઓ મેળવી હોય, દુનિયા સાથે સંબધો વધારીને નામ કામ અને શાન મેળવ્યા હોય, તો પછી રોજની આપાધાપી પણ ખુબ જ કરી હોય ! ઘણુ મેળવ્યું છે તેમ લાગે. નિવૃત જીવન ક્યારેક સમસ્યા પણ લાગે ! મને તો ઘણી વાર એમ થાય છે કે મેળવ્યાની સામે જિંદગીની ઘણી માણવા જેવી પળો ગુમાવી [...]

Read Full Post »

મુંબઇ ઉપર આતંકવાદી હુમલો થયો તેના વિરૂધ્ધમાં એકતા બતાવવા અને આતંકવાદીઓને જાણ થાય કે તમારી કોઇપણ મેલી મુરાદોને અમે સફળ થવા નહીં દઇએ તે માટે વિરાટ માનવ મેદનીએ મળીને એકતાના પ્રતિક રુપે વિરાટ માનવ સાંકળ રચી અને દેશભક્તીની અતૂટ ભાવના વ્યક્ત કરી. ફિલ્મ જગતની જાણીતી વ્યક્તીઓ તેમજ અન્ય આગળ પડતી વ્યક્તિઓએ આતંકવાદ સામે એક્જૂટ થઇને લડવાના [...]

Read Full Post »

આગળના બ્લોગમાં ચોરવાડના શ્રી ભગવતી કુમાર પાઠકનો પરિચય અને તેમની ચોરવાડ પર લખેલી એક કવિતા મુકેલી , દ્વારકામાં તેઓ શારદા પીઠ કોલેજમાં પ્રોફેસર અને છેલ્લે પ્રિન્સીપાલ હતા. અત્યારે નિવૃત છે અને ચોરવાડમાં જ છે.  આ કવિ જીવ  દ્વારીકાને આપણી સમક્ષ મુકે નહિં એવું કેમ બને ! દ્વારીકા તો અમસ્તીએ આપણામાં વસેલી છે, આપણે શું ! આખ્ખા [...]

Read Full Post »

કવિ શ્રી ભગવતી કુમાર પાઠક ચોરવાડના.
મને ચોરવાડનું થોડું વળગણ હોય તેના થોડાક કારણો છે, એક તો હું છેલ્લા ૩૮ વર્ષથી ધીરુભાઇ અંબાણીની કંપની રિલાયન્સમાં સર્વિસ કરી રહ્યો છું, જ્યારે અમદાવાદ નરોડા પ્લાન્ટથી તેમની કાર્કીદીની શરુઆત થઇ,  ”VIMAL” ના નામે સાડીઓ, પછી શુટીંગ, શર્ટીંગ અને ધીરે ધીરે બિઝ્નેસનું આખું એમ્પાયર ઉભું થયું, તે આખા ઇતિહાસનો હું સાક્ષી છું. [...]

Read Full Post »

આપણા ભૂતપુર્વ વડાપ્રધાન વી.પી.સિંગ છેલ્લા સત્તર વર્ષથી કેન્સરની બિમારી સાથે ઝઝુમતા હતા. ૨૭ નવેમ્બરે  ૭૭ મે વર્ષે તેમનું નિધન થયું. મુંબઇના આતંકવાદિ હુમલાની અફરાતફરીમાં છાપાઓ કે મીડીઆએ ખાસ નોંધ ન લીધી. બે ત્રણ કારણો બીજા પણ એવા છે, જેને લઇને આપણા ઘણા વડાપ્રધાનોના નામ સાવ વિસરાઇ ગયા છે. તે પહેલા એક વાત કહેવી છે. તેઓ વડાપ્રધાન તરીકે કેટલા સફળ [...]

Read Full Post »