જ્યારે અમે પ્રતિજ્ઞા લેતા….
નલીની કિશોર ગુહ- ” બંગાલાય વિપ્લવવાદ ” ના સશક્ત લેખક, સર્વ પ્રસિધ્ધ ક્રાન્તિકારી પત્રિકા “શંખ” તથા “હક્ક-કથા” ના સંપાદક “અનુશીલન દળ” ના સક્રિય નેતા. ઢાંકા ષડયંત્ર તથા બોરીસાલ ષડયંત્ર કેસમાં ૧૦ વર્ષની જેલ ભોગવી ચુકેલા ક્રાન્તિકારિએ સંસ્મરણો લખ્યા છે. ૧૯૦૫ માં જ્યારે અનુશીલન દળમાં જોડાયા હતા ત્યારે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી. “इस विप्लव समिती से कभी अलग नहीं होंगे । अपना चरित्र निर्मल रखुंगा । नेता का आदेश निर्विचार रुप से पालन करुंगा । देश कल्याण के लिये निजी स्वार्थ का त्याग करुंगा ।”
वो लुंटेरे नहीं थे ! ( કેટલા ઉંચા સ્તરના હતા વિપ્લવીઓ ! )
( कुछ अहिंसावादी लोग उन्हे डाकु लुंटेरे करार देते थे । ગંદુ રાજકારણ ખેલવા વાળા ત્યારે પણ મોજુદ હતાં, ક્યારેક વિસ્તાર પૂર્વક પ્રસંગો લખીશ )
વિપ્લવી આશુતોષ દાસ ગુપ્ત-
ઢાંકા અનુશીલન દળના અધ્યક્ષ પુલિનબિહારી દાસના જમણા હાથ સમાન હતાં.ગરીબ પરિવારના હતાં. વિવાહીત હતાં, વૃધ્ધ પિતા ઘર સંભાળતા હતાં. ગર-ગૃહસ્થી છોડીને સ્વરાજ માટે સન્યાસી જીવન જીવતા હતાં.વિપ્લવ કાર્યમાં બધા સદસ્યોની દેખરેખ,શિક્ષા-દીક્ષા દેવામાં અને ક્રાન્તિકારી ગતિવિધીઓમાં કર્મરત રહેતા.૧૯૦૮ માં અનુશીલન દળ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, પુલિન દાસને પકડીને પંજાબની માંટગુરી જેલમાં મોકલી દેવામાં આવ્યા,ઢાંકાના ક્રાન્તિકારી દળના સદસ્યો માટે ખર્ચા-પાણીની આફત આવી પડી.તેમના કપડા-લતા વિગેરે જરૂરતની વ્યવસ્થા તેમને માથે આવી પડી.આ બધા સદસ્યો તેમની જેમજ ઘરબાર છોડીને સ્વરાજ માટે ક્રાન્તિદળમાં જોડાયા હતાં.આખરે બધા ઢાંકા છોડીને કલકત્તા આવ્યા.અર્થ-વ્યવસ્થાના બધાજ શ્રોત ભાંગીપડ્યા હતાં.બે ટંક ભોજનના પણ વાંધા પડવા લાગ્યા.આશુતોષ દાસ તો વર્ષો પહેલા ઘર-બાર, પત્નિ અને સંસાર છોડી નીકળી ગયાં હતાં.તેઓ ઘરે પાછા ગયા,પત્નિ સાથે સુખેથી સંસાર માંડવા નહીં ! લગ્ન વખતે સ્વસુર પક્ષથી મળેલા ઘરેણા માટે પત્નિ પાસે હાથ ફેલાવી દીધા. પત્નિએ ખુશી ખુશી બધાજ ઘરેણા આપી દીધા. (ધન્ય છે આ પત્નિને).તે વખતે તેની કિંમત લગભગ એક હજાર જેવી હશે. (અત્યારની ગણતરી મુજબ કેટલા થાય ?) વિપ્લવીઓ સશ્ત્રની વ્યવસ્થા માટે સરકારી ખજાના અને ધનિકોને લૂંટતા.આશુદાએ દાખલો બેસાડ્યો અને ક્રાન્તિદળના સદસ્યોને કહેતા- ” दुसरे के घर डाका डालने के अधिकारी तुम तभी हो सकते हो जब दल के प्रयोजन के लिये अपने घरका संचित धन लाकर दल को दे शको ।”……..
” कहां गये वो लोग ? ”
चरित्र और अनुशासन उनका पहला धर्म था ।
અર્થ સંગ્રહ અભિયાન : – શસ્ત્રો અને દળના ખર્ચા પુરા કરવા, માલેતુજારોને ત્યાં લૂંટ કરવી પડતી પણ ચારિત્ર્ય અને અનુશાસનના ભોગે નહીં, અભીયાન શરૂ કરતા પહેલા સૌ પ્રથમ દળના નેતા પોતાની તલાસી લેવડાવતા, પછી વારાફરતી સૌની તલાશી લેવામાં આવતી, જેથી કરી કદાચ કોઇ પકાડાઇ જાય તો ખિસ્સામાંથી કોઇ પણ જાતની ચિઠ્ઠી કે બીજા કોઇ સબુત ન મળે. સ્ત્રીને કોઇ પણ હાથ નહીં લગાવે તેવી સખત સુચના, તેમ છતાં એક સદસ્યે એક મહિલાનો હાર ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે પાછળથી એક જોરદાર થપ્પડ પડી, વિરેન્દ્ર ચેટરજી અને રવિન્દ્ર મોહન નામના ક્રાન્તિકારીએ તેના લમણા પર પિસ્તોલ ધરી દીધી- ” गोली मार देंगे दुबारा ऐसी गलती कि तो । ” તરત જ તેને તેના જીલ્લાના દળના કેન્દ્રમાં પાછો મોકલી દેવાયો અને તેના પર કડક નજર રાખવાની સુચના આપવામાં આવી.
આપણને કહેવાનું મન થઇ જાય ને કે ” कहां गये वो लोग ? ”
ક્રાન્તિકારિઓની મજબુરી હતી, ધન સંચય માટે માલેતુજારને ત્યાં લૂંટ કરવી પડતી તેમ છતાં તેમનાં નેતાઓ દળના સદસ્યોને કહેતા રહેતા- ” हम क्रान्तिकारी धन के लोभी नहीं । परन्तु क्या करे, देश के लिये मजबुरन ये तरिका अपनाना पड रहाहै । ” कभी कभी तो ये लोग जहां डाका डालते थे,उन को कहेते थे -” आप का संचित धन का कुछ हिस्सा हम कर्ज पर ले जा रहे है,ऐसा समझॊ, उदेश पूर्ण होने पर पाइ पाइ लौटा देंगे ।”
નલીની કિશોર ગુહ તેમનાં સંસ્મરણોમાં લખેછે–
ક્રાન્તિકારી ત્રૈલોકનાથ ચક્રવર્તિ, ઉપનામ હતું ’મહારાજ’ , એક વાર લૂંટમાં લાખો રૂપિયા હાથ આવ્યા, જાણે કે કુબેરનો ભંડાર હાથ લાગ્યો હોય, પણ તેમણે ક્યારેય એક આનાનું એક ગ્લાસ શરબત પણ તે પૈસામાંથી ખર્ચીને પિધું નહોતું. સાથી લોકોએ એક વાર લાવીને આપ્યું તો પણ ન પિધું,ઉપરથી સાથીઓને ડાંટ પડી- ” આવો ફીઝુલ ખર્ચ કરવાનો આપણને કોઇ હક્ક નથી “. કાલિ-ઘાટથી હેદુયા સુધી ચાલીને ગયા, ટ્રેઇનના પૈસા પણ બચાવ્યા. દેશનુંધન રક્તથી પણ કિમતી છે તેવું કહેતા, એક દમ સસ્તી હોટલ ગોતી અને બે આનામાં જમતા. તેમને ટાઇફોડ થઇ ગયો અને તેમને દવા દારૂ માટે પુરી લઇ જવાની જવાબદારી મારા પર આવી, ટ્રેઇનના ભીડ વાળા ત્રિજા વર્ગના ડબ્બામાં ( તે વખતે ત્રીજા વર્ગના ડબ્બાઓ હતાં, આશ્ચર્ય લાગે તેવી વાત છે ને ? ) હું તેમને પુરી લઇ ગયો. ઇલાજ માટે દરિયા કિનારો સલામત જગ્યા હતી. થોડાક દિવસો તેમની સેવાનો લાભ મળ્યો. સખત ગરમી હોવા છતાં હાથેથી પંખો નાખવા ન દે, એક દમ સાદું અને સન્યાસી જેવું જીવન લાગે. તેમને જોઇને મનમાં પવિત્ર અને આદર ભાવ જાગતો. દેશ-ભક્તિ પણ કોઇ આધ્યામિક પુરૂષની જેમ, ભગવાનની ભક્તિ જેમ કેવી રીતે કરી શકતા હશે ? આ પ્રશ્નનો જવાબ હતાં ત્રૈલોકનાથ ચક્રવર્તિ. તબિયત ઠીક થઇ કે તરત જ પાછા કર્મરત. ( ભારત પાકિસ્તાનના ભાગલા પછી પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારનું બાંગલા દેશ, ત્યાં રહ્યાં અને ત્યાં જ દેહાંત થયો )
બ્લોગ-૧૧૫