મારો મિત્ર થાનકી હાલ જર્મનીની ટૂર પર છે. ત્યાં જોવા લાયક સ્થળોની મુલાકાત લઇ પછી લેખ અને સુંદર તસ્વીરો બ્લોગમાં મૂકે છે. મે તેને કોમેન્ટ લખેલી કે “
બર્લિનની ઐતિહાસીક દિવાલ જોવા જરૂર જજે,માનવીય ભાવનાઓને કચડીને ત્યારના શાસકોએ બર્બતાનો કેવો પરચો આપ્યો હતો ? તે અનુભવ, તે દિવાલની પાસે ઉભો રહીને કરજે.” તેને જવાબમાં જણાવેલ કે “બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના બે ભાગ પાડતી બર્લિનની દીવાલ પણ હવે ઇતિહાસ બની ચૂકી છે. લગભગ ૨૫ વર્ષ જર્મનોને આ દીવાલે જુદા પાડી રાખ્યા હતા, પણ અંતે ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે તેમ પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચેની દીવાલનો ૧૯૮૯ના ડિસેમ્બરમાં ધ્વંસ કરી દેવાયો હતો અને જર્મની એક થઈ ગયું છે. આજે જ્યાં દીવાલ હતી ત્યાં માત્ર એક સ્મારક છે.
“
વિભાજનની ભાગલાવાદી માનસીકતા માનવીય ભાવનાઓ પર કેવો કુઠરાઘાત કરે છે? તે આજે પણ જોવા મળે છે.ભારત પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે સરહદ ક્યા ક્યા ગામડાઓ અને શહેરો વચ્ચેથી નક્કી થશે તેની દહેશતમાં લોકો છ છ મહિનાઓ સુધી સુતા ન હતાં. અને આજેય સરહદની L.O.C. લાઇન પર આવેલા ગામડાઓ ભારત પાકિસ્તાન વચ્ચે એવી રીતે વહેચાયા છે કે, કાકા, દાદાના, ભાઇ બહેનના કે દિકરી દીધેલી છે તેનું સાસરુ, એકા એક બે દેશ વચ્ચે વહેંચાઇ ગયા હતા. તેઓ એક બે કિલોમીટરના અંતરે એક બીજાને દૂરથી જોતા રહે છે, આજે તો મોબાઇલની વ્યવસ્થા તેમને કેટલી કામ લાગે છે તે ખબર નહીં પણ એટ્લું ચોક્ક્સ છે કે એક બે કિલોમીટરની દૂરી તેમના માટે તો ૭૦૦ થી ૮૦૦ કિલોમીટરની થાય. પાસપોર્ટ અને વિઝાની પળોજણ માંથી પસાર થયા પછી વાઘા બોર્ડરથી એક બીજાના દેશમાં પ્રવેશ મળે ત્યારે મળવાનો મેળ પડે. ક્યારેક આ ક્પરી માનસિક પરિસ્થીતીનો વિચાર કરી જોજો, એક વાર કંપારી જરુર આવી જશે.
હિન્દી સાહિત્યમાં જેનુ નામ મોખરે છે તે સહાદત હસન મંટોએ ભારત પાકિસ્તાનના વિભાજન ઉપર ઘણી વાર્તાઓ લખેલી જે વિશ્વ સાહિત્યની કક્ષાએ શ્રેષ્ટ ગણાય છે. સહાદત હસન મંટો વિભાજન પહેલા મુંબઇના શુક્લાજી સ્ટ્રીટ જેવા બદનામ વિસ્તારમાં રહેલા અને ત્યાંની બદનામ વસ્તી પર ઘણી વાર્તાઓ લખેલી વિભાજન પછી પાકિસ્તાનમાં ગયા અને ત્યાંજ બહુ દયાજનક સ્થિતીમાં તેમનું મૃત્યુ થયું હતું. વિભાજન ઉપર લખેલી એક વાર્તા “ ટોબા ટેક સીંહ “ ખૂબજ અસરકારક રહેલી, આજે પણ આ વાર્તા એટલી ધારદાર લાગે છે. તેનો ભાવાંશ રજુ કરવાની ઇચ્છાને રોકી નથી શકતો.
મન્ટોએ એક વાર્તામાં એવો કટાક્ષ મૂકેલો જે આજે પણ યાદ આવે છે “ दंगो के बाद बोम्बेकी गलीओमे महीनो तक लाशे पडी रही , धरम नामका मांस गीदडॊ और गीधोने नोच लीया था और पहेचानना मुश्कील था, की लाश हिन्दूकी है या मुसलमानकी । ……
“ ટોબા ટેક સીંહ “
ભારત પાકિસ્તાનના વિભાજનના બે ત્રણ વર્ષ પછી બન્ને સરકારોને અચાનક ખ્યાલ આવ્યો કે જેમ જેલના કેદીઓની આપ-લે થઇ તેમ પાગલ ખાનાના પાગલોની પણ આપ-લે થવી જોઇએ. જેમના સગા વહાલા હિન્દુસ્તાનમાં હોય તેમને હિન્દુસ્તાનમાં અને જેમના પાકિસ્તાનમાં હોય તેમને પાકિસ્તાનના પાગલ ખાનામાં ફેર બદલ કરવી. લાહોરના એક પાગલ ખાનામાં ક્યાંકથી આ વાત પાગલો પાસે પહોંચી ગઇ અને બધા પાગલોની વચ્ચે ચર્ચાનો આ વિષય બની ગયો. બે વર્ષથી તેમને હિંદુસ્તાન પાકિસ્તાન વિષે કંઇ જ ખબર ન હતી. તેઓ એક બીજાને પોતાની મંદ બુધ્ધિમાં ન ઉતરે તેવી પૂછતાછ કરતા.
એક પાગલ જે સરદારજી હતો તેણે એક મુસલમાન પાગલને પૂછ્યું “ मौलवी साब ,ये पाकिस्तान कौनसी बलाका नाम है ? “ પેલા પાગલે ક્યાંય સુધી માથુ ખંજવાળીને બહુ વિચારીને જવાબ આપ્યો “ पाकिस्तान शायद हिन्दुस्तान की वो जगा का नाम है , जहां उस्तरे बनते है । એક મુસલમાન પાગલ હિન્દુસ્તાન, પાકિસ્તાન, પાકિસ્તાન, હિન્દુસ્તાન બોલતો બોલતો વધારે પાગલ બની ગયો અને એક ઝાડ પર ચડી ગયો, કહેવા લાગ્યો “ मै, न हिन्दुस्तान मे जाउंगा और न पाकिस्तान मे, मै इस पेड पर रहुंगा । “ પહેરેદારો ઘણી મુશ્કેલી પછી તેને સમજાવી શક્યા, તે નીચે ઉતરીને હિન્દુ પાગલોને ભેટીને જોર જોરથી રડવા લાગ્યો, કહેવા લાગ્યો “ अभी आप सब मुझे छोड कर हिन्दुस्तान चले जाओगे, मै अकेला पड जाउंगा । “ બીજા એક બે પાગલોએ તેને સમજાવ્યો “ तुं फिक्र मत कर , ये सब कोइ पागलोकी साजीस है । हम जब अस्पतालमें आये तब ये जगा हिन्दुस्तान थी अब एका एक पाकिस्तान कैसे बन गइ ? “ એક પાગલ પોતાને ખુદા માનતો હતો તેને જ્યારે કોઇ પાગલ પાકિસ્તાન વિષે પૂછતો ત્યારે તે કહેતો “ अभी हमने हूकुम नहीं दीया, अभी हमारे पास हूकुम की लंबी लिस्ट है । એક પાગલ સરદારજી, તેનું નામ તો બિશન સિંહ હતું પણ બધા પાગલો તેને ટોબા ટેક સિંહ કહીને બોલાવતા. કારણ કે તેને મળવા આવવા વાળા લગભગ આ નામ વાળા ગામેથી આવતા, આ ગામનું નામ ઘણું વિચીત્ર અને અજાણ્યું હતું.
વોર્ડમેન અને પહેરેદારોનું કહેવું હતું કે “આ સરદારજીને પંદર વર્ષ પહેલા તેના કુટુંબીઓ મૂકી ગયા હતા, જ્યારથી આવ્યો હતો ત્યારથી અમે કોઇ દિવસ તેને બેઠેલો કે સુતેલો જોયો નથી, રાત હોય કે દિવસ તે સૂતો જ નથી, ક્યારેક થાકે તો દિવાલને ટેકો દઇને શાંત ઉભો રહે છે, એટલે તો તેના પગની પીંડીઓ કાયમ સૂજેલી જ રહે છે.” લગભગ તે લાહોર કે સિયાલકોટનો મોટો જમીનદાર હતો.અચાનક તેનું ક્યા કારણથી છટકી ગયું ? તે કોઇને ખબર ન હતી. એક, એક અઠવાડીયા સુધી તે નહાતો નહીં, ક્યારેક તે વહેલો પરોઢે નાહી લેતો અને વાળમાં તેલ-બેલ નાખીને તૈયાર થતો ત્યારે જરુર કોઇને કોઇ તેને મળવા આવતું, કોઇ અજીબ રીતે તેની છઠ્ઠી ઇંન્દ્રીય તેને જાણ કરતી હોય તેવું લાગતું. તે કંઇક અજીબ અને ન સમજાય તેવું બડ બડ કરતો રહેતો. “ ओपड दी गड गड, दी एनेक्स , मुं ग दी डाल ओफ दी लालटेन “ કોઇ રિશ્તેદાર મળવા આવે તો ચુપચાપ ઉભો રહેતો, એ લોકો જાય પછી તેની બડબડ ચાલુ થઇ જતી “ “ ओपड दी गड गड, दी एनेक्स दी ……… “ ક્યારેક કોઇ બીજો પાગલ તેને ભારત પાકિસ્તાન વિષે પૂછે તો જવાબ મળતો “ ऒपड दी गड गड, मुंग दी डाल एन्ड दी टोबा टेक सीह गवरमेन्ट । “
ભારત પાકિસ્તાનના વિભાજન પછી તેને કોઇ મળવા આવ્યું ન હતું , તેને થતું કે કોઇ મળવા આવશે તો પુછીશ “ टोबा टेक सीह किधर आया ? हिन्दुस्तान में या पाकिस्तान में ? “ અને અંતે પાગલોની અદલા બદલી માટે નક્કી કરેલો દિવસ આવી ગયો. લાહોરના પાગલ ખાનામાં જે પાગલોને હિન્દુસ્તાન મોકલવાના હતા તેમને પરાણે ધક્કા મારી મારીને પહેરેદારોએ વાનમાં ચડાવ્યા. તેઓ જવા તૈયાર ન હતાં અને જોર જોરથી બૂમો પાડી ને કહેતા હતાં “ हम तो हिन्दुस्तान में ही है, साले हम लोग पागल है कि तुम लोग ? “ મહા પરાણે તેમને વાનમાં બેસાડ્યા. વાન બરાબર પાકિસ્તાનની સરહદની લાઇન પર ઉભી રાખીને બધા પાગલોને સામે દેખાતી હિન્દુસ્તાનની સરહદ સુધી પહોંચડવાના હતાં. થોડાક મીટરનો ફાસલો ચાલીને જવું પડે. પાગલોએ ફરી ભાગમદોડ શરુ કરી દીધી હતી. પહેરેદારો એક એક પાગલની પાછળ દોડીને પકડવાનો પ્રયત્ન કરતા હતાં. એક પહેરેદારનું ધ્યાન ટોબાટેક સીંહ તરફ ગયું . તે બન્ને દેશની સરહદની બરાબર વચ્ચે બેસી પડ્યો હતો, પંદર પંદર વર્ષથી જે માણસ કદી બેઠો ન હતો, કદી સૂતો ન હતો, તે આજે તે જગ્યાએ સૂઇ ગયો હતો. કદાચ તે કાયમ માટે સૂઇ ગયો હતો.
ટોબાટેક સીંહ જે જગ્યાએ સદાને માટે સૂઇ ગયો હતો તે જગ્યા બન્ને સરહદની વચ્ચેની જગ્યા હતી. તે જગ્યા ન હિન્દુસ્તાન હતી કે ન પાકિસ્તાન….
( બ્લોગ-૫૮ )

અમારે ઘણી વખત આચાર્ય રજનીશ અને શ્રી જે. કૃષ્ણમૂર્તીની વાત નીકળતી. જોગી સાહેબ કહેતા ” રજનીશ આ યુગનો ઋષિ છે. એક વાર મને જાણ થઇ કે જે. કૃષ્ણમૂર્તીની ટપાલ ટીકીટ બહાર પડી છે, એટલે પોષ્ટ-ઓફિસથી હું બે ટીકીટ લઇને આવ્યો, એક મેં જોગી સાહેબને આપી ત્યારે તેંમણે કહ્યું ” આ ટીકીટની કિંમત ત્યારે જ થાય જ્યારે તેના ઉપર પોષ્ટનો સ્ટેમ્પ લાગે, માટે તમે મને એક પોષ્ટ-કાર્ડ લખજો અને આ ટીકીટ તેના ઉપર લગાવજો, પછી જ તેની ખરી વેલ્યુ ગણાય. તેમના કહેવા મુજબ મેં તેમને એક પોષ્ટ-કાર્ડ લખ્યું અને તે ટીકીટ તેના ઉપર
લગાવી. જોગી સાહેબે ખુબ જ ખુશ થઇને મને જવાબમાં પત્ર લખ્યો, જે આજે પણ મેં સાચવી રાખ્યો છે. આજે આ બ્લોગ સાથે મુકતા મને ખુબ જ આનંદ થઇ રહ્યો છે.
મુકુંદરાય શુક્લ, ગોલ્ડન ફ્રેમનાં ચશ્માથી તેમનું વ્યક્તિત્વ વધારે ઉપસતું, જનરલ પોસ્ટ-ઓફિસમાં સેવિંગ ડીપાર્ટમેન્ટના ચીફ હતાં, ડિપાર્ટમેન્ટનો કોઇ ક્લાર્ક આવવામાં મોડો પડે એટલે ચશ્મા ઉતારી મોડા આવનારે સામે સૂચક નજરથી જોઇ લેતા, મોડો આવેલો ક્લાર્ક દ્રષ્ટિનો મર્મ સમજી જતો. શુક્લ સાહેબ કંઇ પૂછે તે પહેલા જ ટેબલ પાસે આવી ઉભો રહી જતો “સાહેબ ઘરે મહેમાન….” શુક્લાજી જાણે બધું સમજતા હોય તેમ આંખોથી વગર બોલ્યે મીઠો ઠપકો આપી દેતા ” મિ. શાહ પ્લીઝ ઇમ્પ્રુવ..” “ઓ.કે સર ..” ,
વ્યવસ્થામાં વહેંચી અને શ્રેષ્ઠ જીવન વિતાવવાનો માર્ગ બતાવેલ છે. ૫૦ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ એટલે કે નિવૃત્તી, નવી પેઢી માટે જીવનનો માર્ગ કરી આપવાનો, પોતે નિર્લેપ બની સંસારની પળોજણ કોરે મૂકી અને જીવનનો ખરો આનંદ માણવાની શરુઆત કરવાની, આવી સુંદર અને મહાન જીવન શૈલીને આપણે શા માટે સ્વિકારી નથી શકતા ?
જોઇ રહ્યો છે. આકાશને ધરાઇને નીરખવું છે. એકદમ અંધારા આકાશમાં દેખાતી આકાશ ગંગા અને કરોડો તારલાઓને માણવા છે. પતંગિયાની ટોળીઓને ઉડતી જોવી છે. કોઇ નદી કિનારે આવેલા મંદિરની આરતિની ઝાલરો સાંભળવી છે. આરતિ પછી મસ્તી કરતા કરતા અંધારામા ગરક થતા નાના નાના છોકરાઓની ટોળીને જોયા કરવી છે. ઝાડની ડાળીએ ગાતા પંખીના ગીતો મન ભરીને માણવા છે. સફેદ ઉડતા બગલાઓની હારમાળા છેક ક્ષિતીજ સુધી અદ્રશ્ય ન થઇ જાય ત્યાં સુધી નીરખવાનો આનંદ લૂંટવો છે. આ બધું લીસ્ટતો બહુ લાંબુ છે. આ તો મારી અંગત વાતો થઇ, તમને બધાને શા માટે બોર કરવા ? પણ હું એવું માનુ છું કે રિટાયરમેન્ટનો દિવસતો મુક્તિનો દિવસ છે. બધા જ બંધનોના ગાળીયા છોડવાનો દિવસ છે. હલકા ફૂલ થઇ જવાનો દિવસ છે. 


લાલઘૂમ તગતગતી આંખોથી તરડાયેલા ચહેરાઓએ
મારે અને મારા મિત્ર થાનકીને ફોન પર અવારનવાર નવા નવા વિષયો ઉપર વાતો નીકળે, એક વાર થાનકીએ કહ્યું ” પંચતંત્રની એક વાર્તા છે, નોકરે પોતાની જરુરીયાતને જાળવી રાખવી જોઇએ આ વાત વિષ્ણુ શર્મા નામના પંડીતે હજારો વર્ષો પહેલા પંચતંત્રની વાર્તામાં જણાવેલ છે, અને તે વાતનો બોધ આજેય એટલો જ મહત્વ ધરાવે છે” એમ કહીને તેણે ટૂંકમાં વાર્તા કહી અને કાયમની ટેવ મુજબ અમે ખૂબ હસ્યા.
કરતો અને તેની ઊંઘમાં ખલેલ પડતી. તેણે વિચાર કર્યો કે એક બિલાડીને ચાકરીએ (નોકરીએ) રાખી લઉં. જ્યારે હું સુઇ જવું ત્યારે તે ઉંદરનું ધ્યાન રાખે, તેની બીકથી ઉંદર નજીક આવવાની હિંમત નહીં કરે. ભાઇ, બિલાડીની નોકરી ચાલું ! સિંહ સુઇ જાય, અને બિલાડી ઉંદર નજીક ન આવે તેનું ધ્યાન રાખવા જાગતી બેસી રહે. બિલાડીને એકનું એક કામ કરતા કંટાળો આવવા લાગ્યો. એટલે તેને વિચાર કર્યો કે ઉંદરને મારીનાખું એટલે ઝંઝટ ખતમ. અને તેણે ઉંદરને લાગ આવતા જ ખતમ કરી નાખ્યો. સિંહને એવું લાગ્યું કે હવે બિલાડીને ચાકરી (નોકરી ) પર ચાલુ રાખવાની જરૂર નથી, હવે તેના જોગ કોઇ કામ રહ્યું નથી, સિંહે બિલાડીને છુટ્ટી કરી દીધી.
વિષ્ણુ શર્મા નામના પંડીતે “પંચતત્ર ” નામના ગ્રંથની રચના ઇ. પૂર્વે બીજી સદીમાં સમ્રાટ અશોકના મૃત્યુ પછી અને શૃંગ વંશના રાજા પુષ્યમિત્રના સમયમાં કરી હતી. એક દંત કથા પણ આ ગ્રંથ વિષે સાંભળેલી છે. એક રાજાએ પોતાના મૂર્ખ અને બુધ્ધુ જેવા રાજ કુમારોને વ્યવહારુ 
