Feeds:
Posts
Comments

Posts Tagged ‘ચર્ચા’

વરસાદની અછત  અને દુષ્કાળથી  બચવા માટે એક ગામમાં મેઘરાજા અને ઇશ્વરને મનાવવા ગામનાં મેદાનમાં પ્રાથનાનું  આયોજન કરવામાં આવ્યું. આખું ગામ ભેગું થયું હતું. ફક્ત એક નાનકડો છોકરો છત્રી લઇને આવ્યો હતો. આને કહેવાય આસ્થા,આત્મવિશ્વાસ ( Self-Confidence )
જોકે આ વાત એક ઘડી કાઢેલો સુવિચાર છે,  પણ આપણે જેને આસ્થા કહીએ છીએ, તે આસ્થાના લેવલ વિષે, આસ્થાની [...]

Read Full Post »

મુંબઇ ઉપર આતંકવાદી હુમલો થયો તેના વિરૂધ્ધમાં એકતા બતાવવા અને આતંકવાદીઓને જાણ થાય કે તમારી કોઇપણ મેલી મુરાદોને અમે સફળ થવા નહીં દઇએ તે માટે વિરાટ માનવ મેદનીએ મળીને એકતાના પ્રતિક રુપે વિરાટ માનવ સાંકળ રચી અને દેશભક્તીની અતૂટ ભાવના વ્યક્ત કરી. ફિલ્મ જગતની જાણીતી વ્યક્તીઓ તેમજ અન્ય આગળ પડતી વ્યક્તિઓએ આતંકવાદ સામે એક્જૂટ થઇને લડવાના [...]

Read Full Post »

તલવાર હંમેશાં નેકનિયત માણસો બનાવે છે,
પણ એને હંમેશાં બદનિયત માણસો વીંઝે છે.
મારા મિત્ર થાનકીએ November 17, 2008 by Harsukh Thanki  એક બહુ સરસ કવિતા બ્લોગમાં મુકી હતી. સુરેન્દ્ર ચતુર્વેદીની આ કવિતા ૧૯૭૫માં કટોકટીના સમયે લખાઇ હતી અને “ધર્મયુગ”માં પ્રગટ થયેલી. થાનકીએ તેનો અનુવાદ કર્યો હતો અને તે “રંગતરંગ”ના ૧૯૭૯ના જુલાઇના અંકમાં છપાઇ હતી. આ કવિતાનો સંદર્ભ જાણે આપણા રોજીંદા [...]

Read Full Post »

નરસિંહ શું હતો  કવિ ,ભક્ત ,સંત ,અવધુત કે ક્રાંતિકારી ?
નરસીંહ વિષે થોડાં ઘણા ભજન જેવા કાવ્યો ગણગણીને આપણે કહીએ કે આ નરસિંહ મહેતાનુ છે અને આ પ્રભાતિયું પણ નરસિંહ મહેતાનું છે.બહું ઓછું જાણીએ છીએ આપણે નહરસિંહ વિષે એવું મને લાગ્યું જ્યારે મેં શ્રી જવાહર બક્ષીનું નરસિંહ વિષે વક્તવ્ય સાંભળ્યું. મારા એક મિત્રે મને સી.ડી આપી હતી, જે જુનાગઢના [...]

Read Full Post »

ગઝલનું ઘેલું લાગ્યું હોય તો તેનું કારણ છે “આદિલ” સાહેબ. હસમુખ (હરસુખ) થાનકી અને હું એક વાર તેમને મળ્યા પછી ઘણી વખત તેમની વાતો નીકળતી, હસમુખ તેમની નવી ગઝલ વાંચી હોય એટલે સંભળાવતો. આજે પણ હસમુખનો ફોન આવે એટલે એમ વિચારું કે એકાદી નવી ગઝલ કે કવિતા વાંચી હશે. આદિલ સાહેબ, રમેશ પારેખ, શેખાદમ આબુવાલા,  આ [...]

Read Full Post »

આપણા નેતાઓ અમેરિકાના નેતાઓ પાસેથી કંઇ શિખ લેશે ? આપણે આવા દિવસો ક્યારે જોશું ?
હું અમેરિકાનો ચાહક છું એવું નથી, પણ જે શિખવા જેવું છે તે ઘણું છે, તેમા કોઇ બે મત નથી. ઓબામાની જીત કે જહોન મેક્કેઇનની હારના સમાચારો તો કાલે જુના થઇ જશે, પણ ચુંટણી પછી તે બન્ને નેતાઓએ જે ગરીમાથી જીત અને હારને લોકો સમક્ષ [...]

Read Full Post »

એક વાતમાં સહુએ સહમત થવું જ પડશે કે આપણી સંસ્કૃતિ (સંસ્કૃત શબ્દથી જ શરુ થાય છે ને !) આપણો વારસો કે આપણુ દર્શન શાસ્ત્ર, ચિંતન આ બધું જ સંસ્કૃતમાં છે. તેના વિષે સામાન્ય જ્ઞાન હોવું જરુરી છે, એવું મને લાગ્યા કરે છે. સંસ્કૃત ભાષા લોકભોગ્ય ન બની શકી તેના ઘણા કારણો છે. બધા માટે સંસ્કૃત શીખવું શક્ય નથી, આજના જીવનની ગળાકાપ હોડ [...]

Read Full Post »

પોથી પઢી પઢી જગ મૂઆ, પંડીત ભયા ન કોઇ.- કબીરજીની આ સો પ્રતિશત ખરી ટકોર જાણીતી છે. અખાના છપ્પા ભણવામાં આવતા -તિલક કરતા ત્રેપન થયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફુટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.  પાનબાઇ અને નરસિંહ મહેતાના ભજનોમાં જે ઉંડાણ  અને જે સમજ જોવા મળે છે તે આજના ધાર્મિક વેવલાવેડા કરતા મોટા માથાના બુધ્ધિજીવી [...]

Read Full Post »

 સાચું રે બોલો મારા શામ રે….કાનુડા….  મુરલી રે વાળા મારા શામજી..       
આ ભજનની ધૂન એટલી ગમી ગઇ હતી  કે મનમાં ને મનમાં હું ગણગણતો હતો. આ ભજનની લાઇન હકીકતમાં તો હું ખોટી રીતે ગણગણતો હતો. હું ગણગણતો હતો કે ’ ખોટું ના બોલો મારા શામ રે.. ’ પછી ફરી વખત આ ભજન સાંભળવા મળ્યું ત્યારે ખબર પડી [...]

Read Full Post »

ઝ્યાં-પોલ સાર્ત્ર વિષે મારા મિત્ર થાનકીએ Comment લખી એટલે મેં ફોન ઉપર આ વિષે વાત કરી. મેં કહ્યું “હજી પણ મને અસ્તિત્વવાદ વિષે સ્પષ્ટ રજુઆત કરી શક્યો હોય તેવો સંતોષ થયો નથી. આપણા બ્લોગ મિત્રોને હમણા આ ભારે વિષય લઇ બોર નથી કરવા, પણ હજી એક વાર સ્પષ્ટ રીતે રજુઆત કરવાની ઇચ્છા છે. પછી ક્યારેક [...]

Read Full Post »

Older Posts »