આપો વેદના એવી… (તા.૧૬-૧૦-૧૯૭૭)
આપો વેદના એવી ,
સરોવર અશ્રુના છલકે,
ને માછલીની જેમ,
તરે નયનો અમારા,
થાય ના દર્શન તમારા,
પછી એવા તરફડે,
થાકીને લોચન ઢળે.
આપો વેદના એવી ,
સ્મૃતિના ખંડમા કોઇ,
મરડી આળસોના થર,
ખૂણાઓ સળવળે,
ચારે તરફ દોડે,
પડે અથડાય ઉભા થાય,
ને અંધારુ ટોળે વળે,
આપો વેદના એવી ,
ભૂલુ રસ્તા હું મંઝીલના,
પડે પગલા ભલે આડા,
સમયના ઠેકતો ખાડા,
ક્યાંક, ચગદાય એ સ્મરણો,
ને ચીસો પડે,
સૂના ગામના ખુણે કોઇ બેઠું રડે.
આપો વેદના એવી ,
ઉના વાયરાઓથી,
ચારે તરફ લપટો ઉઠે,
ભાગ્યો પતંગાના રુઠે,
આવી પડે સળગી ઉઠે,
આવાસ હ્રદયોના બધા,
ભડભડ બળે.
આપો વેદના એવી
( આ સ્વરચિત રચનામાં સમય અને ઉંમરનો તકાજો જાહેર થાય છે, ભાવનાઓનું માન જાળવી કોઇ ફેરફાર વગર જ મુકી છે.)
-છતાંય શાહબુદીન ભાઇ રાઠોડની રમુજ યાદ આવે છે કે ” આ બધું તો કુદરતના નિયમ મુજબ જ થાય “
wow! subdar abhivyakti, keep itup. Good luck and happy Diwali.