બુરા જો દેખન કો ચલા, બુરા ન મિલીયા કોઇ, અંદર દેખા ઝાંખ કે, મુઝસે બુરા ન કોઇ.
કબીરજીનો આ દોહો સાદો સીધો નથી. અંદર ઝાંખવું બહુ કપરુ છે. આતો આત્મ નિરીક્ષણની વાત થઇ. માણસની પ્રકૃતી જલદી ન સુધરે એવી માન્યતા એમને એમ નથી ઘડાઇ. પોતાની ભૂલ દેખાવી સહેલી નથી, મારે કોઇની નહીં મારી પોતાની જ વાત કરવી છે. હંમણા એક પ્રસંગ બન્યો, જોકે પ્રસંગ કહેવું જરા અજુક્તુ લાગે છે, એક વાત એવી બની, જે વાતે મારી આંખ ખોલી દિધી. મારી જાતને હું બુધ્ધીજીવી સમજું છું, સુજ્ઞ વાચક સમજું છું, કાવ્યોને સારી રીતે સમજવા વાળો રસીક જન સમજું છું. ઘણી વખત સામેનો માણસ બૌધ્ધીકતામાં ઓછો હશે તેવી આકરણી કરી લઉં છું,કારણ કે મને ખબર હોય છે કે આ ,કે ફલાણો વ્યક્તિ વાંચનનો શોખીન નથી, કાવ્યોમાં રસ નથી, તેની વાતોમાં ખાસ વજન નથી. આ બધી જ મારી માન્યતાઓને ગંજીપાના પત્તાના મહેલની જેમ મે પડતા અનુભવી, મારી વિચાર શક્તીમાં ક્યાં ખામી છે ? તેનો અહેસાસ થઇ ગયો. એક માણસે મને મારી જગા બતાવી દીધી. મારી બૌધ્ધીકતાનો આંક બતાવી દીધો. બૌધ્ધીકતાથી પણ આગળ કંઇક હો છે. ઉદાર મન, દ્રઢ્ નિર્ણય શક્તિ, સાચો અભિગમ.
મારી સાથે એક મારો સહકાર્યકર છે, દેશપાન્ડે, મહારાષ્ટ્રીયન છે એટલે હિન્દીમાં વાતચીત કરે, આજથી બારેક વર્ષ પહેલા તેણે મને એક વાત કરી હતી ” ભટ્ટ ભાઇ, મેં જિંદગીમાં એક બહુ સારુ કામ કર્યું છે. મારે સંતાનમાં એક બાબો છે, મેં અને મારી પત્નીએ નિર્ણય કર્યો અને નક્કી કર્યું કે એક બેબી અનાથ આશ્રમમાંથી દત્તક લેવી. અને આ કામ અમે પુરું કર્યું તે વાતનો અમને આનંદ છે. ” આ વાત સાંભળીને એક વખત તો હું ગદગદ થઇ ગયો હતો, આ દેશપાન્ડે ! કામની બાબતમાં હમેંશા કનફ્યુઝ રહેનારો ! ઘણા તો મજાકમાં તેને કન્ફ્યુઝ દેશપાન્ડે જ કહેતા, આવડો મોટો નિર્ણય, અને જરાય કન્ફ્યુઝન નહીં ? વાહ, મારુ મન તેને મનોમન સલામ કરતુ રહ્યું. આ વાત મેં ઘરમાં અને બીજા મિત્રોને પણ કરી અને એક સારા નિર્ણય લેનાર માણસનો ગર્વ અને આનંદ લીધો. ઘણી વખત મને એવું લાગ્યું કે આવો નિર્ણય લેવાની હિમ્મત મારામાં કેમ ન આવી ?
ખરી વાત તો હવે કહેવાની છે, જે વાતે મને સાચા અભિગમ વિષે બોધ કરાવ્યો. આમ તો આ દેશપાન્ડે કંપનીમાં અવારનવાર મળે એટલે તેના ઘરે જવાનું ખાસ બને નહીં પણ હમણા એક પ્રસંગે એક બે મિત્રો સાથે તેના ઘરે જવાનું થયું, તેના ઘરના ડ્રોઇંગ રૂમમાં અમે બેઠા હતા, એકા એક મને બાર વર્ષ પહેલાની વાત યાદ આવી ગઇ, મેં કહ્યું ” દેશપાન્ડે, પેલી બેબી ઘણી મોટી થઇ ગઇ હશે નહીં ? ” પછી મારી સાથે આવેલ મિત્રો તરફ વળી ને કહ્યું ” You know ? આપણા આ દેશપાન્ડેએ એક ઘણું સરસ કામ કર્યું છે ” . દેશપાન્ડેએ મને વચ્ચે જ અટકાવી ને કહ્યું ” ભટ્ટ ભાઇ, આજ એ મારી બેટી છે, સારું કામ કર્યું તે એક જ દિવસ હતો, આખ્ખી જિંદગી તે વાત યાદ કર્યા કરું તો હું તેને દિકરીનો પ્રેમ ક્યારે આપી શકું ? અમે તેને આવાતની ખબર જ નથી પડવા દીધી, અમે નવું મકાન લઇને જુનો પડોશ જ છોડી દીધો છે, જેથી આ વાત કોઇ રિપીટ ન કરે ” મારી નીચેથી જમીન ખસકતી લાગી, કાન પકડી સોરી કહેવા જેટલી પણ હિમ્મત મારામાં ન રહી. મને અહેસાસ થયો, બૌધ્ધીકતા, સાહિત્ય, કવિતા આ બધાથીયે કોઇક વાત ઉંચી હોઇ શકે છે. દેશપાન્ડેને મનોમન આજે પણ સલામ થઇ જાય છે. આ બ્લોગ લખ્યો છે તે તેને કહેવા માટે નહી, ફરી એ ભુલ રીપીટ નથી કરવી, આ તો આપ જેવા મિત્રો સમક્ષ મારું Confeessin છે. આ પ્રસંગે મને આત્મનિરીક્ષણનો મોકો આપ્યો છે. અને મિત્રો સમક્ષ દિલ ખોલવાનો.
અંધાર પીવાની સ્પર્ધા થઇ ને,
રમખાણ ફાટી પડ્યું આગિયામાં
નજરચૂક થઇ હોય તો વાત જુદી,
લખાવ્યું હતું નામ મેં હાંસિયામાં
– ભગવતી કુમાર પાઠક
waah !!
sundar vaat ………
just yesterday Shri Adhyamtmanandji said,
how long u will tell ‘ me ene moto karyo’
now he has his own kids …… !!
wonderful !!
Very nice……..Great thoughts and actions of Shri Despande.
Thanks for sharing.
હૃદયને સ્પર્શી જાય તેવી વાત લખી. ભાષણો કરવા સહેલા છે, જીવી બતાવવું અઘરું છે. દેશપાંડેએ જે કર્યું એ કરવા માટે સાહસ, હિંમત, નૈતિક તાકાત જોઈએ. પાડોશ પણ છોડી દેવો કે કોઈને ખબર ન પડે એ વાત પર જ સલામ કરવાનું મન થાય છે. આવા માણસોને જીવતા જોઈને આશાનો દીવો ટમટમતો રહે .. ના હજી માનવતા મરી નથી પરવારી.
અને દિનકરભાઈ, તમને ખાસ અભિનંદન કે આ પ્રસંગને અમારી સાથે વ્હેંચ્યો, અમને પણ આત્માના અરીસામાં જોવાનો અવસર આપ્યો.