Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘માહિતી’

મારા દેશમાં બધુંજ સારું હોવું જોઇએ, એ કાંઇ જરૂરી નથી ! એવું કોણે કહ્યું કે સરકાર  હંમેશા સારી જ હોવી જોઇએ ? સરકાર અમેજતો બનાવી છે. નેતાઓને અમે જ તો ચુંટીને મોકલ્યા છે. સરકાર ક્યારેક કોમેડી શો કરે છે. હમણા અણુસંધિના કરાર ઉપર ટી.વી ઉપર ઘણા તમાશા જોયા. અમે તો હજીયે કોમેડી શો જોતા હોય એમ જોઇને નિરાંતે સુઇ જઇએ છીએ. બીજે દિવસે છાપામાં ફરી પાછા ફોટા જોઇને રાજી થઇએ છીએ. કેવું છે આ રાજકારણીઓનું નહીં !ઓફિસમાં મારા મિત્રને તો હજીયે શેર બજારનું જ સુઝે છે. મને કહે “હવે સેન્સેક્ષ ઉપર જશે !”. ટી.વી ઉપર કેવુ કેવું જોયું નહીં ! તમે માનસો ! હું ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે મારા શ્રીમતિજી કોઇક સિરીયલ જોઇ રહયાં હતા. મે કહ્યું ” જરા સમાચાર વાળી ચેનલ કરતો ! સરકારનું શું થયું જોઇએ તો ખરા !” મને કહે ઉભા રહો થોડિવાર, આ મારી સિરિયલ પતીજવા દો. સરકારમાં શું જોવાનું છે ? સોનિયા ગાંધી બેઠાં છે, હમણાં કોક નોટોના બંડલ લઇને આવ્યો છે. લાલુપ્રસાદ શાયરીઓ બોલે છે. કોમેડી શો જેવું છે બધું”.

હું ચુપચાપ બેઠો રહ્યો. શ્રીમતિજીની સિરિયલ પુરી થવા દિધી. મને કહે “તમને ખબર છે, આ કોમેડી શો આખી દૂનીયા જોઇ રહી છે !” ક્યાંક્થી છાપાનું કટીંગ લાવીને આપ્યું ” આ જુઓ, આ તમારા નેતાઓ !”. મે છાપાના કટીંગ ઉપર નજર ફેરવી. ઉપર ટાઇટલ હતું ” ભારત બચાવો ” મને કહે ” યે હૈ તુમારા દેશ ” આતો હિન્દી ઉપર આવી ગઇ. મે કહહ્યું ” ગુજરાતીમાં બોલને !” મને કહે “હિન્દી શું મરાઠી પણ શીખવું પડશે, સમજ્યા !” હું સમ જી ગયો, મે કહ્યું હવે આગળ કંઇ બોલીશ નહીં, હું બધ્ધું સમજી ગયો છું, હવે તેં આપેલી આ કાપલી વાંચવા દઇશ ? ” 

“વાંચો ”  ટાઇટલ હતું ” ભારત બચાવો ” – જાણો આપણા સાંસદોને ૫૪૫ માંથી

૨૯ – પત્નિને ત્રાસ આપવા બદલ જેમના ઉપર કેસ ચાલે છે.   ૭   – ફ્રોડ કરવા બદલ ધરપકડ કરેલ છે.      ૧૯ – જેમના ઉપર ત્રણથી વધારે ક્રિમીલ કેસ પેન્ડીગ છે.       ૧૧૭-જેમના ઉપર હત્યા, બળાત્કાર અને લૂંટ ના કેસ ચાલી રહ્યા છે.   ૭૧ – જેમની ક્રેડીટ લોન લેવા બાબત બંધી ફરમાવામાં આવેલ છે. કારણ કે તેમનો લોન ભરપાઇ કરવાનો ખરાબ રેકોર્ડ છે.    ૨૧ – નાના મોટા કાયદાઓનો ભંગ કરવા બદલ કેસ દર્જ છે. ૮૪ – જેમણે ક્યારેકને ક્યારેક નાના મોટા ગુનાઓ બદલ ફાઇન ભરેલ છે.

પાછા શ્રીમતિજી બોલ્યા ” યે હૈ આપકા દેશ !”

મને કહે “ટોટલ કરો !”  ટોટલ થયો -૩૪૮ ” મેજોરીટી થઇ ગઈ ! સરકાર જીતેજને !” મને કહે હવે સાંભળો “ઓલો બ્લોગ લખ્યા કરો છો ને ! ક્યારેક બીજું પણ ઇન્ટરનેટમાં જુવો, ” આ બધી વાત સાચી છે કે ખોટી એ જાણવાનો તમને પુરો અધિકાર છે. તમે એક જાગ્રત નાગરિક છો ?” 

આ રહી વેબ સાઇટ, ભારતના દરેક નાગરિક્ને દેશમાં ચાલી રહેલી કોઇ પણ ગતીવિધી વિષે સરકારને પુછવાનો અને સરકાર તેનો વિગતવાર લેખિત જવાબ આપવા બંધાયેલી છે, પંદર દિવસમાં લેખિત માહિતી આપવા જે તે ખાતાના માહિતી અધિકારી બંધાયેલા છે. આ કાયદાનુ નામ છે Right to information આ વિચાર અને તેનો કાયદામાં અમલીકરણ થાય, આ બાબત ખુબજ મહેનત કરનાર માણસનું નામ છે.  “શ્રી અણ્ણા સાહેબ હજારે “ ગાંધીજી જેટલાજ સાદા, કર્મઠ,સત્યની તાકાત વાળા અને અડગ. મહારાષ્ટ્રનું આ રતન છે. અને આદરણીય છે. http://righttoinformation.gov.in/

એક વેબ સાઇટ એવી પણ છે. જ્યાં તમે તમારી સરકારી ખાતાને લગતી અડચણો માટે on line complain નોંધાવી શકો છો. http://pgportal.gov.in 

એક બીજી વાત, હવે આપણે એવા રોદણા રડવાની જરૂર નથી કે, ” શું કરુ ? સાલ્લા બધાજ ચોર છે. કોને મત આપવો ? દશ લોકો ઉભા છે. સાલ્લા બધાજ બદમાશ છે. મારે મત આપવો હોય તોય એક જે ઓછો બદમાશ કોણ છે ? એને શોધવા બેસવાનું ?” નહીં સાહેબ એવી જરૂર નથી, પણ મતદાન અવશ્ય કરવાનું. જુઓ આ કાયદો ! આ વાતનો જવાબ છે.  Section 49-0 as per 1969 act. person can go to the polling booth, confirm his identity,get his finger marked and convey the presiding election officer that he dosen’t want to vote anyone ! Yes such feature is available it is called “49-0”. The result: if a candidate in your ward wins, say by 123 votes, and that perticular ward has received “49-0” (No vote to any one) more than 123, then the polling will be cancelled and will have to be re-polled. Not only that, but the candidature of the contestants will be removed and they can not contest the re-polling, since people had already had expressed their decision on them.

આ બદમાશ નેતાઓએ આ કાયદા વિષે આપણને કાયમ અંધારામાં રાખ્યા છે. આ મતદારનું એક અમોઘ શસ્ત્ર છે. જનજાગ્રતિ જો આવે તો દરેક પક્ષ પોતાનો ઉમેદવાર ઉભો કરતા પહેલા સાત વાર વિચાર કરશે.

Kiran Bedi, Ph.D, is India’s first and highest ranking (retired in 2007) woman officer who joined the Indian Police Service in 1972.
( આ વેબસાઇટ પોલિસ ખાતાને લગતી બાબત પર ઓન લાઇન Caomplain માટે છે. જે કિરન બેદી પોતે સંભાળે છે )

 

http://www.saferindia.com/kiranbedi/ 

બને તેટલા લોકોને આવા કાયદાઓથી વાકેફ કરશો તો આપણે ગર્વથી કહી શકશું ” દેખો યે દેશ હૈ મેરા…..”

Read Full Post »

સૈકાઓથી આપણે આંગળીના વેઢે દુનિયાની સાત અજાયબી ગણ્યા કરીએ છીએ, ’તાજ મહાલ’ને આંખ બંઘ કરીને ગણાવતા, પણ હવે દિવસો બદલાઇ ગયા છે. થોડા મહિનાઓ પહેલા ’ સેવન વંડર્સ ’ માટે પબ્લિક સર્વે કરવામાં આવ્યું. સદનસીબે ’તાજ મહાલ’ની ગણત્રી થઇ ગઇ, પણ જરા અજુક્તું લાગ્યું. ટી.વી સેટ ઉપર આપણે તાકીને બેઠા હતાં. ટી.વી. ઉપરથી જાહેર થયું કે ’તાજ મહાલ’ની ગણના સાત અજાયબીઓમાં થઇ ગઇ, અને આપણે ફટાકડા ફોડ્યા. જેમ ભારતની ક્રિકેટ ટીમ જીતીજાય છે અને ફટાકડા ફુટે છે તેમ, શું દર વખતે આપણે ’તાજ મહાલ’ માટે લાઇન લગાવીને ઉભું રહેવાનું ? જ્યારે નવી અજાયબીઓ બનતી જાય છે, તો અજાયબીઓની સંખ્યાની ગણત્રી દશ ન કરી શકાય ? ખેર એ બધું આપણાં હાથમાં નથી, પણ ’તાજ મહાલ’ની ગરિમા આપણાં માટે તો એટલી જ છે, જેટલી પૂ. ગાંધીજી માટે છે, જેટલી કવિવર ટાગોર કે શહીદ ભગત સિંહ માટે છે.  

 “તાજ મહાલ” વિષે થોડીક માહિતી 

ચાર કરોડ, અગીયાર લાખ, અડતાળીશ હજાર, આઠસો છત્રીસ રૂપિયા, સાત આના અને છ પાઇ જેટલો ખર્ચો “ તાજ મહાલ “ બનાવવામાં થયો હતો. આવું  ’અમ્લ- ઇ -સાલીહ’ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. દુનિયાભરનાં કારીગરો આવ્યા હતાં. સમરકંદથી મુહમ્મ્દ શરીફ, લાહોરથી કઝીમ ખાન, જેણે તાજ મહાલની સૌથી ઉંચી ટોચ બનાવી હતી. દિલ્હીના એક પીરા નામના માણસે ઘુમ્મટની આસપાસ માચડો બાંધ્યો હતો અને ઘુમ્મટનું મધ્યબિંદુ ગોઠવવામાં મુખ્ય કામ કર્યું હતું. શિરાઝથી અમાનત ખાન, બગદાદથી કાદર ઝમાન અને મુહમ્મદ ખાન.શામથી રૌશન ખાન આવ્યો હતો. જેણે આરસામાં આયાતો કોતરી હતી. અંદરનું બધું કામ કનોજના ચિરંજીલાલે કર્યું હતું. તેની સાથે ત્રણ મુખ્ય કારીગરો હતાં. છોટીલાલ, મન્નુલાલ, અને મનોહર સિંઘ. અંદર ફુલો કોતરનારા બોખારાથી આવ્યાં હતાં. અતા મુહમ્મદ અને શકર મુહમ્મદ. ત્રણ દિલ્હીના હતાં. બનુહાર, શાહમલ અને ઝારાવર. બહારની બાગ બગીચાની યોજના રામલાલ કાશ્મીરી નામનાં માણસે કરી હતી. બધાનો ઉપરી હતો ઇશા નામનો માણસ. 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Read Full Post »